SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જે જીવ ત્રણ મનોરથને સાચા ભાવે ઘારણ કરે તે કાળે કરીને ચાર સુખ શય્યાને પામે છે. તે ચાર સુખશય્યા કઈ કઈ છે તેનું વર્ણન હવે આ પાઠમાં કરે છે : (૧૩) ચાર સુખશય્યા (દોહરા) અનંત સુખશય્યા વિષે સ્થિર થયા ગુરુ રાજ, અયાચક પદ ઉર ઘરી, સુખશયા કહું આજ. ૧ અર્થ - આત્માની અનંતગુણરૂપ સુખશય્યા પામીને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વસ્વરૂપમાં સ્થિર થયા તે અયાચક પદને એટલે જે પદ પામ્યા પછી કંઈ પણ માંગવાનું રહે નહીં એવા ઉત્તમ શુદ્ધ આત્મપદને હૃદયમાં ઘારણ કરી, ચાર સુખશય્યાનું વર્ણન આજે કરું છું. ૧|| મોક્ષસુખ સરખાવવા કહે સુષુતિરૂપ, પણ ક્યાં મોહર્તીત દશા ક્યાં નિદ્રા અઘકૂપ!૨ અર્થ - મોક્ષસુખને સરખાવવા માટે જીવનની સુષુતિરૂપ નિદ્રાવસ્થાનું દ્રષ્ટાંત વ્યવહારથી આપવામાં આવે છે. પણ ક્યાં આત્માની મોહાતીત દશાનું અદ્ભુત સુખ અને ક્યાં અઘકૂપ એટલે પાપના ઘરરૂપ એવી નિદ્રાનો સુખાભાસ. “જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજાં કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.” (વ.પૃ.૩૬૮) રા. માત્ર વિકલ્પ-રહિતતા દર્શાવે દૃષ્ટાંત, ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ એકાંત!૩ અર્થ :- આ ઉપરનું સુપુતિનું દ્રષ્ટાંત તો કેવળ વિકલ્પ-રહિતપણું દર્શાવવા માટે છે કે ખરું સુખ તો માત્ર વિકલ્પથી રહિત થવામાં જ છે. ઊંઘમાં ભલે એને દુઃખનું ભાન નથી, પણ મોક્ષમાં આત્મસ્વભાવનું જે એકાંત નિરાકુળ સુખ છે તેનો અનુભવ ક્યાં અને આ નિદ્રાવસ્થાનો સુખાભાસ ક્યાં? એ તો માત્ર જીવને નિદ્રાના સુખાભાસનો અનુભવ હોવાથી કંઈક ખ્યાલ આવે તે માટે તુલના કરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. હા શેષનાગ-શયા પર પોઢે પ્રભુ સાક્ષાત્ પૌરાણિક કથા વિષે ગૂઢ કહી કંઈ વાત. ૪ અર્થ - શેષનાગની શય્યા ઉપર વિષ્ણુ ભગવાન સાક્ષાત પોઢે છે એવી વૈષ્ણવ ઘર્મના પુરાણોમાં કથા કહી છે. પણ તે કંઈ ગૂઢ આશયેવાળી વાત હોય એમ જણાય છે. ll૪. ક્ષીરસાગર સમ્યકત્વ જો, શેષનાગ પ્રારબ્ધ, સેવે જાગૃતિ-લક્ષ્મી પદ, આત્મા-હરિ અબદ્ધ. ૫
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy