SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧૭ પડેલ મોહના ફાંસાને જરૂર કાપી નાખશે. ત્રણે કાળમાં જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જશે, તે સર્વ જીવોને માટે મોક્ષમાર્ગ આ રત્નત્રયરૂપ એક જ રહેશે. તે સિવાય બીજો કોઈ સત્ય મોક્ષમાર્ગ ત્રણેય કાળમાં હશે નહીં. ૪૬ાા. પ્રશ્નોત્તરો બહુવિઘ થયા તે મૂળ દ્વાદશ અંગનું, આઘાર છે તે તીર્થનો, ફળ એ પરમ સત્સંગનું; ગૌતમ વિચારે: ઘન્ય હું, પુયે પ્રભુ આજે મળ્યા, વળી મોક્ષમાર્ગ બતાવતા પ્રભુ ભાવથી મેં સાંભળ્યા.”૪૭ અર્થ - આમ અનેક પ્રકારના પ્રશ્નોત્તરો ભગવાન સાથે થયા. તે દ્વાદશાંગીનું મૂળ છે, તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને મોક્ષમાર્ગ આરાઘવામાં પરમ આધારભૂત છે. ભગવાન સાથે પરમ સત્સંગ કરવાનું આવું ફળ આવે છે. ગૌતમ મુનિ વિચારે છે કે આજે મારા મહાપુણ્યના ઉદયે આવા પ્રભુ મળવાથી મારું જીવતર ઘન્ય બની ગયું. વળી આજે પ્રભુને મોક્ષમાર્ગ બતાવતા મેં ભાવથી સાંભળ્યા. ૪શા સૌ ભાઈઓ, શિષ્યો અને બહુ અન્ય જન સાધુ થયા, બહુ રાજકન્યાઓ વળી સ્ત્રીઓ બીજી સાથ્વી થયાં; ગૃહઘર્મીનાં વ્રત ઉચ્ચરે નરનારી મુમુક્ષુ ભલાં, વળી સિંહ આદિ પશુ ગૃહીનાં વ્રત લઈ તેમાં ભળ્યાં. ૪૮ અર્થ :- હવે ઇન્દ્રભૂતિ ગૌતમના વાયુભૂતિ આદિ ભાઈઓ તથા સર્વ શિષ્યો અને બીજા પણ ઘણા લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અનેક રાજકન્યાઓ તથા બીજી સ્ત્રીઓ પણ સાથ્વી થયાં. તથા મુમુક્ષુ એવા નરનારીઓએ પણ ગૃહસ્થઘર્મના બાર વ્રત ભગવાન પાસે ઉચ્ચર્યા. તેમજ સિંહ આદિ પશુઓએ પણ ગૃહસ્થઘર્મના વ્રત અંગીકાર કર્યા. ૪૮ “મોક્ષાર્થી જીવો વ્રત વિનાના દાન, પૂજાદિ ચહે, શક્તિ પ્રમાણે ભક્તિ, ઉત્સવ, ભાવથી કર્મો દહે. પછી ઇન્દ્ર વીરને વીનવે વિહાર દેશાંતર થવા, ત્યાં મોહનિદ્રામાં સેંતેલા ભવ્ય જીંવને બોઘવા. ૪૯ અર્થ - બીજા મોક્ષાર્થી જીવો દેવ, મનુષ્યાદિ કે જે વ્રત લેવાને શક્તિમાન નથી, તે દાન, પૂજા આદિ કરવા લાગ્યા તથા શક્તિ પ્રમાણે ભક્તિ તેમજ મહાપુરુષોના કલ્યાણકો નિમિત્તે થતાં ઉત્સવોમાં ભાવથી ભાગ લઈ કમને બાળવા લાગ્યા. પછી ઇન્દ્ર મહાવીર પ્રભુને દેશાંતરમાં વિહાર કરવા માટે વિનવવા લાગ્યા કે જેથી મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય જીવોને પણ બોઘ થાય. II૪૯ાા પ્રારબ્ધ જાણી વીર જિન પણ રાજગૃહ નગરે ગયા; વિપુલાચલે પધરામણી સુણ રાય શ્રેણિક આવિયા. પૂજા, સ્તુતિ કરી, બોઘ સુણી, નિજ પૂર્વ ભવ પૂછે વળી, ગૌતમ કહેઃ “ભીલના ભવે સદ્ઘર્મ વાત ભલી મળી. ૫૦
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy