SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) મહાવીર દેવ ભાગ-૩ ૧ ૧ ૧ અભિમાન ગૌતમ ઉચ્ચરે “રે! દ્વિજ કહું ઝટ અર્થ હું, તો દઈ શકે શું?” વચન બોલ્યા, શરત કરવા, મર્મનું. ૨૫ અર્થ - તે સંદેહ ટળવાથી હું તમારો ઉપકાર માનીશ. તેમજ તમારા પણ યશની વૃદ્ધિ થશે. મારા ગુરુ શ્રી મહાવીર બોલતા નથી, માટે આ કાવ્યનો અર્થ મને કહો. તે સાંભળીને અભિમાની એવા ઇન્દ્રભૂતિ ગૌતમ બોલી ઊઠ્યા કે રે! દ્વિજ એટલે બ્રાહ્મણ હું તને ઝટ જો અર્થ કહું તો તું મને શું આપીશ? એવું મર્મનું વચન શરત કરવા બોલ્યા. રપા તે વિપ્ર વદતોઃ “જો મને સંતોષ અર્થથ થાય તો હં શિષ્ય બની સેવા કરું; તમને ન જો સમજાય તો?” ગૌતમ કહે: “તો ભાઈ ને શિષ્યો લઈ તુજ ગુરુ કને દીક્ષા લઉં, એ વચન આપું; આણ શંકા નહિ મને.” ૨૬ અર્થ - ત્યારે બ્રાહ્મણરૂપે રહેલ ઇન્દ્ર બોલ્યા કે જો મને અર્થથી પૂરો સંતોષ થશે તો હું તમારો શિષ્ય બની સેવા કરીશ. પણ તમને જો તેનો અર્થ ન સમજાય તો શું કરશો? ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ કહેજો ન સમજાય તો હું મારા ભાઈઓને તથા સર્વ શિષ્યોને લઈ તારા ગુરુ પાસે જઈ દીક્ષા લઉં; એ તને વચન આપું છું. એમાં જરા પણ શંકા મનમાં આણીશ નહીં. l/૨૬ાા ઇન્દ્ર કરાવી સુપ્રતિજ્ઞા, કાવ્ય ગૂઢ કહે હવેઃ ત્રિકાળમાં ષ દ્રવ્ય, ગતિ સૌ, નવ પદાર્થો સંભવે; વ્રત, સમિતિ, ગતિ, સસ તત્ત્વો અસ્તિકાયો પંચ છે સુંઘર્મ સિદ્ધિમાર્ગ સમ્ય, જીંવ છકાય અનંત જે. ૨૭ અર્થ:- ઇન્દ્ર આમ સુપ્રતિજ્ઞા કરાવી, હવે તે ગૂઢ અર્થવાળું કાવ્ય કહ્યું કે “ત્રણે કાળમાં છ દ્રવ્ય, સૌ મળીને ચાર ગતિઓ અને નવ પદાર્થો સંભવે છે, પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગતિ, સાત તત્ત્વો તેમજ પાંચ અસ્તિકાય છે. દશ લક્ષણરૂપ સદ્ઘર્મ, સિદ્ધિનો માર્ગ સમ્યગદર્શન છે, તેમજ છ કાયવાળા જીવો જગતમાં અનંત છે. //રા. વળી વિશ્વ, વેશ્યા, વિધિ-જનિત ફળ; જ્ઞાન આનું જે ઘરે, તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે.” ગૌતમ ઘણા ગભરાય, “નહિ તો આ વાત વેદ વિષે દસે, નથી સાંભળી કદી કે વિચારી, કેમ કરવું તે વિષે? ૨૮ અર્થ:- તથા વિશ્વ કેટલું મોટું છે, વેશ્યાઓ કેટલી છે? તેમજ વિધિપૂર્વક વર્તવાનું ફળ શું છે? એનું જ્ઞાન જે ઘરે તે ભવ્યાત્મા આત્મદર્શન પણ કરે એમ કહ્યું છે તો તેનો અર્થ મને કહો. ઇન્દ્રભૂતિ ગૌતમ ઘણા ગભરાવા લાગ્યા કે આ વાત તો વેદમાં ક્યાંય દીઠી નથી, કે સાંભળી નથી કે કદી વિચારી નથી તો હવે તે વિષે કેમ કરવું? ૨૮ાા. અતિ ગૂઢ અર્થ ભરેલ કાળે વિપ્ર મુજને મૂંઝવે, સર્વજ્ઞ કે શ્રુતકેવળી વિણ કોણ ઉત્તર સૂચવે?
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy