SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. વચનાતિશયયુક્ત વાણીમાંથી ભૂત અને ભવિષ્યકાળની ઘટનાઓના સહજ સંકેત મળતા અને મુમુક્ષુઓના મનમાં ઊઠતા અનેક પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જતા. મૌનની મહાનતા મૌન દશામાં પણ તેઓશ્રી બોથમૂર્તિ સમા લાગતા અને તેમના દર્શન માત્રથી જ સંકલ્પ વિકલ્પ અને કષાયો મંદ પડી જતા. કાયાનું સંયમન તેઓશ્રીએ કાયાને તો કમાન જેવી રાખેલી. ઊંચા ડુંગરો હોય તો પણ ચાલવામાં સર્વથી આગળ ને આગળ! બ્રહ્મચર્ય વ્રત લીધું ત્યારથી જ, નહીં સ્નાન કે સ્પંજીગ, નહીં મર્દન કે માલિશ છતાં તેઓશ્રીના શરીરની સૌમ્ય કાંતિ બ્રહ્મતેજના પ્રતાપે અતિ નિર્મળ તેમજ સતેજ હતી. તેઓશ્રી ઘણું ખરું આખી રાત્રિ પદ્માસન કે કાયોત્સર્ગ ધ્યાનમાં ગાળતા. માત્ર એકાદ બે કલાક જ શરીરને આરામ આપતા. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાઓ ચરોતર, મારવાડ, ઘામણ વગેરે પ્રદેશોમાં યાત્રા કરી મુમુક્ષુઓને ઘર્મમાં જાગૃત રાખતાં. યાત્રામાં સો-બસો મુમુક્ષુઓનો સંઘ પણ સાથે જોડાઈ જતો. સમેતશિખરજી, શત્રુંજય, ગિરનાર આદિની યાત્રાઓમાં તે તીર્થોનું માહાત્મ બતાવી ચતુર્થકાળનું સ્મરણ કરાવતા. - તેઓશ્રીના સાન્નિધ્યમાં કાવિઠા, ઘામણ, આહોર, ભાદરણ, સડોદરા વગેરે સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં ચિત્રપટોની સ્થાપના કરવામાં આવેલ છે અને ઘણા મુમુક્ષુઓના ઘરોમાં પણ તેઓશ્રીના હાથે પરમકૃપાળુદેવ તેમજ પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટોની સ્થાપના થયેલ છે. તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસના રાજમંદિરમાં પ.પૂ. પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્થાપના પણ તેઓશ્રીના કરકમળ સંવત ૨૦૦૯ના આસો વદ રના શુભ દિને થયેલ છે. સાહિત્ય સર્જન તેઓશ્રી દ્વારા રચાયેલ સાહિત્યમાં પ્રવેશિકા, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, શ્રીમદ્ લઘુરાજસ્વામીનું જીવનચરિત્ર, પ્રજ્ઞાવબોઘ, સમાધિશતક-વિવેચન અને આત્મસિદ્ધિ વિવેચન મૌલિક રચનાઓ છે. તેમજ ભાષાંતરોમાં સમાધિ સોપાન અને જ્ઞાનમંજરી ગદ્યમાં તથા તત્ત્વાર્થસાર, દશવૈકાલિક, બૃહ દ્રવ્યસંગ્રહ, વિવેકબાવની, જ્ઞાનસાર અને લધુ યોગવાસિષ્ઠસાર પદ્યમાં છે. તેમણે આત્મસિદ્ધિનું અંગ્રેજી પદ્યમાં પણ ભાષાંતર કરેલ છે. તેઓશ્રીએ મોક્ષમાળા ઉપર કરેલ વિવેચન ઉપરથી મોક્ષમાળા વિવેચન તેમજ પરમ કપાળુદેવના પદો ઉપર કરેલ વિવેચન ઉપરથી નિત્યનિયમાદિ પાઠ પુસ્તકની સંકલના થઈ છે. આઠ દ્રષ્ટિની સક્ઝાયના વિવેચન પરથી “આઠ દ્રષ્ટિની સક્ઝાય (અર્થ સહિત)' પુસ્તક બનેલ છે. તેઓશ્રીએ આપેલ બોઘ ઉપરથી બોઘામૃત ભાગ-૧ તેમજ વચનામૃત ઉપર કરેલ વિવેચન પરથી બોઘામૃત ભાગ૨ (વચનામૃત વિવેચન) અને મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રોના સંગ્રહરૂપ બોઘામૃત ભાગ–૩ (પત્રસુઘા) ગ્રંથનું સર્જન થયું છે. “આલોચનાદિ પદ સંગ્રહમાં તેઓશ્રીએ રચેલ પદ્યોમાંથી આલોચના અધિકાર, જિનવર દર્શન અધિકાર, વૈરાગ્યમણિમાળા, હૃદયપ્રદીપ, સ્વદોષ દર્શન, યોગ પ્રદીપ, કર્તવ્ય ઉપદેશ, દ્વાદશ અનુપ્રેક્ષા (૧૧)
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy