________________
૬ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - બિલાડીનો ત્રાસ સમીપમાં જાણીને ઉંદર દૂર નાસી જાય છે, તેમ મુનિ પણ સ્ત્રીના સહવાસને બિલાડી જેવો જાણી દૂર વસે છે. જ્યાં સ્ત્રીનો નિવાસ છે તેવા મુકામમાં મુનિએ કે બ્રહ્મચારીએ કદી વાસ કરવો નહીં. ૨૩
ના બ્રહ્મચારી સ્ત્રી-સુરૂપ ચિંતે, વિલાસ-હાસ્ય મન કેમ રૂંઘે?
મંજુલ વાણી વળી અંગ-ચેષ્ટા, ભાવે ન જુએ કદી આત્મદ્રષ્ટા. ૨૪ અર્થ - જે ખરા બ્રહ્મચારી છે તે સુરૂપવાન સ્ત્રીનું ચિંતન પણ કરે નહીં, તો તેની સાથે વિલાસ કે હાસ્ય કરવામાં મનને કેમ રોકે? મંજાલ એટલે મીઠી છે વાણી જેની એવી સ્ત્રીની અંગ ચેષ્ટાને જે ખરા આત્મદ્રષ્ટા એટલે જેને આત્મા જોવાની દ્રષ્ટિ છે એવા આત્મજ્ઞાની પુરુષ રાગભાવે કદી જુએ નહીં. //રજો
સ્ત્રી-કીર્તને કેમ ઘરે પ્રતિ તે? સ્ત્રી-સુંખ ના સ્વપ્ન વિષે ય ચિંતે;
જો ધ્યાન ને બ્રહ્મયમે વિચારો, તો આચરો આ હિતના પ્રકારો. ૨૫ અર્થ - એવા આત્મજ્ઞાની પુરુષો સ્ત્રી-કીર્તને એટલે સ્ત્રીના ગુણગાનમાં કે તેની પ્રશંસામાં કેમ પ્રીતિ ઘરે? તે તો સ્ત્રીના સુખને સ્વપ્નમાં પણ ચિંતવતા નથી. જો ધ્યાન અને બ્રહ્મચર્યને યમરૂપે એટલે આજીવન વ્રતરૂપે ઘારવા વિચારતા હો તો આ ઉપર કહ્યાં છે તે હિતના પ્રકારો પ્રમાણે આચરણ કરો. રપા
મુનિ ભલે ઉત્તમ દેવ જોયે, ના મોહ પામે, ઘરી ગુપ્તિ તોયે,
એકાંત, નારીથી રહિત વાસ, તેને ય જાણો હિતકારી ખાસ. ૨૬ અર્થ:- જે મુનિ ઉત્તમ દેવીને જોઈ ભલે મોહ પામતા નથી અને મન વચન કાયાની ગતિને ઘારણ કરીને રહે છે; તેને પણ સ્ત્રીથી રહિત માત્ર એકાંતવાસ જ ખાસ હિતકારી છે એમ જાણો. ૨૬ાા
સાધુ, મુમુક્ષુ ભવભીરુ કોય, જે મોક્ષમાર્ગે સ્થિર હાલ હોય,
તેને નહીં દુસ્તર કોઈ એવું, યુવાન નારી રૂપવંત જેવું. ૨૭ અર્થ – જે સાધુ હોય અથવા સંસારથી ભય પામેલો એવો કોઈ મુમુક્ષુ હોય, કે જે ભલે હાલમાં મોક્ષમાર્ગે સ્થિર હોય; છતાં તેને પણ યુવાન એવી રૂપવંત સ્ત્રી જેવું કોઈ દુસ્તર કાર્ય નથી, અર્થાત્ આવા અનુકૂળ પ્રસંગને જિતવા તે મહાત્મા પુરુષોને પણ દુષ્કર થઈ પડ્યા છે. માટે સદા પ્રમાદ છોડીને તેમનાથી દૂર રહેવું એ જ ભગવાનનો ઉપદેશ છે. આરબા
સ્ત્રી-કામના જે મૂળંથી ઉખેડે, તે કામના સર્વ સદાય છોડે;
મોટા સમુદ્રો તરનાર કોય, ગંગાનદીનો ન હિસાબ જોય. ૨૮ અર્થ - જે સ્ત્રીની ઇચ્છાને જડમૂળથી ઉખેડે તે બીજી બધી ઇચ્છાઓને સદા છોડી શકે છે કેમકે : આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ. શ્રીમદ્ રાજચંદ્ર જેમ કોઈ મોટા સમુદ્રોને તરનાર હોય, તેના માટે ગંગા નદી તરવી તે કોઈ હિસાબમાં નથી.
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર,
નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અઘિકાર. -શ્રીમદ્ રાજચંદ્ર સ્ત્રી કામનાને જેણે જીતી લીધી તેણે સર્વ સંસાર પર જય મેળવી લીધો. જેમ રાજાને જીતતાં તેનું દળ, પુર અને અધિકાર સર્વ આપોઆપ જિતાઈ જાય છે તેમ. ૨૮