SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મણિમતિ કન્યા ચપલવેગની તપ કરતી હતી તે જ વને, વિદ્યા સિદ્ધ થયેલી તેની હરી મોહવશ દશાનને; બાર વર્ષ ઉપવાસ કર્યા તેનું ફળ મળતાં વિધ્ર કરે તે નરની પુત્રી થઈ તેને મારીશ” એમ નિદાન ઘરે. ૩૮ અર્થ :- જ વનમાં રાજા ચપલવેગની કન્યા મણિમતિ વિદ્યા સિદ્ધ કરવા તપ કરતી હતી. તેને જોઈ રાવણ મોહવશ બની ગયો. તેને પોતાને આધીન કરવા મણિમતિની સિદ્ધ થયેલ વિદ્યાને હરી લીધ બાર વર્ષ સુધી ઉપવાસના ક્લેશ ઉઠાવતાં પ્રાપ્ત થયેલ વિદ્યાના ફળમાં વિઘૂ કરનાર આ નરની જ પુત્રી થઈને હું તેને મારીશ એવું મણિમતિએ નિદાન કરી લીધું. ૩૮ાા મરણ કરી મંદોદર-ઉદરે એ જ જીવ આવી ઊપજે, જન્મ થતાં ભૂકંપન આદિ અતિ ઉપદ્રવ નગરે નીપજે; નિમિત્ત-નિપુણ જનને પૂંછતાં કહેઃ “કન્યા રાવણકાળ ગણો,” ભય પામી નૃપ હુકમ કરે: “કન્યા દાટી, મુજ મોત હણો.’ ૩૯ અર્થ :- નિદાન કરવાથી મણિમતિનો જીવ મરણ પછી મંદોદરીના ઉદરે આવી ઉત્પન્ન થયો. તેનો જન્મ થતાં ભૂકંપ આદિ અતિ ઉપદ્રવ નગરમાં થયો. તે જોઈને નિમિત્ત જ્ઞાનમાં નિપુણ જનને પૂછતાં તેમણે કહ્યું કે આ કન્યાને રાવણના કાળ સમાન જાણો. આથી ભય પામી રાજા રાવણે હુકમ કર્યો કે આ કન્યાને દાટી દઈ મારા મોતને દૂર કરો. ૩૯ાા મારીંચને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ વદે: “મહારાણ, હું ધૃણારહિત છું, ક્રૂર-કર્મ-આજ્ઞા નૃપ દે– કન્યાને દૂર કરી લઈ જઈ દાટો.' સતી પતિ-આજ્ઞા અનુસરે, પુત્રીને પેટીમાં મૂકી, પત્ર લખી બહુ દ્રવ્ય ઘરે. ૪૦ અર્થ - મારિચ મંત્રીને આજ્ઞા મળતાં તે મંદોદરી સતી સમીપ જઈને કહેવા લાગ્યો : મહારાણી! હું ધૃણારહિત એટલે દયારહિત નિર્દય છું કે રાજા મને આવા ક્રૂર કર્મ કરવાની આજ્ઞા આપે છે. રાજા રાવણ કહે છે કે જન્મેલ કન્યાને દૂર લઈ જઈ દાટી આવો. સતી એવી મંદોદરીએ પતિની આજ્ઞાને અનુસરી પુત્રીને પેટીમાં મૂકી સાથે ઘણું દ્રવ્ય મૂક્યું અને સાથે એક કાગળ પણ લખીને મૂકી દીધો. ૪૦ના મારીંચને સોંપી પેટી મંદોદરી નયને નીર ભરે, કહે: “કરુણાળુ ઉર તમારું; પણ મુજ મન નહિ શૈર્ય ઘરે. તેથી ફરી ફરી વનવી કહું છું, કન્યાનું રક્ષણ કરજો; બાઘારહિત જગા જોઈને યોગ્ય ભૂમિ વિષે ઘરજો.’ ૪૧ અર્થ :- મારિચને તે પેટી સોંપી આંખમાંથી આંસુ ઝરતા તે બોલી ઃ તમારું હૃદય દયાળુ છે, છતાં મારું હૃદય ધૈર્ય ઘારણ કરતું નથી. તેથી ફરી ફરી વિનવીને કહું છું કે આ કન્યાનું રક્ષણ કરજો અને કોઈ બાઘા રહિત જગા જોઈને યોગ્ય ભૂમિમાં ઘરજો. In૪૧ના મિથિલા નગરી સમીપ જઈ તે ખેડૂતના ઘરની પાસે, પેટી દાટી શોકસહિત, ક્રૂર કમેં નિર્દય પણ ત્રાસે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy