________________
(૪) દયાની પરમ શર્મતા
૨ ૭
સ્વરૂપને તમે જરૂર સમજો. ૩૩ાા
પ્રથમ જ્ઞાન ને પછી દયા’ કહે વીર ભગવંત;
મોહદયા સમકિત વિના નહિ આણે ભવ અંત. ૩૪ અર્થ - પ્રથમ જ્ઞાન વડે કરી દયાનું સ્વરૂપ સમજવું, પછી દયાનું સમ્યક્ રીતે પાલન કરવું. એમ પ્રથમ જ્ઞાન અને પછી દયા શ્રી મહાવીર ભગવંતે સિદ્ધાંતમાં કહી છે.
તે દયાનું સ્વરૂપ સમજ્યા વિના ઘરના સ્વજન, કુટુંબાદિ પ્રત્યે જીવને હોય મોહ અને માને દયા એવી મોહસહિત દયા, સમ્યક્દર્શન વિના ભવનો અંત આણી શકે નહીં. ૩૪
કષ્ટ હરે કર્મો હણે, ભવતરણી, જીંવ-માય,
સમતા, સ્નેહ ઉરે ભરે, મોક્ષ દયાથી થાય. ૩૫ અર્થ - દયાઘર્મ સર્વ કષ્ટોને હરે, કર્મોને હણે તથા ભવ તરવાનો સાચો ઉપાય છે. દયાઘર્મ જીવમાત્રમાં સમતાભાવ અને સ્નેહભાવ હૃદયમાં ભરનાર છે. અંતમાં મોક્ષપદની પ્રાપ્તિ પણ જીવને દયાઘર્મથી થાય છે. ઉપરા
યત્નાપૂર્વક વર્તવું ઑવરક્ષાને કાજ,
‘દ્રવ્યદયા” તે જાણવી, એમ કહે જિનરાજ. ૩૬ અર્થ - હવે દયાઘર્મના પ્રકાર સમજાવે છે - જીવરક્ષાને માટે યત્નાપૂર્વક એટલે સાવઘાનીપૂર્વક પ્રત્યેક વર્તન કરવું તેને ‘દ્રવ્યદયા’ શ્રી જિનરાજ કહે છે. “પ્રથમ દ્રવ્યદયા - કોઈપણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “દ્રવ્યદયા”.” (વ.પૃ. ૬૪)
દુર્ગતિને ઑવ સાઘતો જાણી દે ઉપદેશ,
નિષ્કારણ કરુણા વડે “ભાવદયા’થી જિનેશ. ૩૭ અર્થ - જીવને પાપ વડે કરી દુર્ગતિને સાઘતો જોઈ નિષ્કારણ કરૂણાશીલતાથી શ્રી જિનેશ્વર ભગવંત ઉપદેશ આપે તે “ભાવદયા’નું સ્વરૂપ જાણવું. “બીજી ભાવદયા બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે “ભાવદયા'.” (વ.પૃ.૬૪) //૩૭માં
ભાવદયાને કારણે દ્રવ્યદયા’ને ઘાર,
ભાવદયા પરિણામનો દ્રવ્યદયા વ્યવહાર. ૩૮ અર્થ - ભાવદયાને પામવા દ્રવ્યદયાને ઘારણ કર. કેમકે દ્રવ્યદયા તે ભાવદયાનું કારણ છે. અંતરમાં જો ભાવદયા છે તો તેનું પરિણામ એટલે ફળ બહારમાં દ્રવ્યદયારૂપે વ્યવહારમાં આવે છે. “સાતમી વ્યવહાર દયા – ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ “વ્યવહાર દયા.” ” (વ.પૃ.૬૪) //૩૮.
અનાદિનો મિથ્યાત્વથી ભમ્ ચાર ગતિમાંય,
તત્ત્વ ન સમજ્યો વળી નહીં પાળી જિનાજ્ઞા કાંય. ૩૯ અર્થ – અનાદિકાળથી મિથ્યાત્વના પ્રભાવે હું ચાર ગતિમાં ભટકું છું. હજાં સુધી આત્મતત્ત્વને