________________
૨ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સર્પમુખે અમૃત મળે, તુષ ખાંચે કણ થાય,
સુત વંધ્યાનો જો જડે, તો હિંસા સુખદાય. ૨૭ અર્થ - સર્પના મુખમાંથી અમૃત મળે, ફોતરાં ખાંડવાથી અનાજના કણ મળે અથવા વંધ્યા સ્ત્રીનો પુત્ર ક્યાંય જડે તો હિંસા સુખદાયી થાય. /રા
તેલ ઝરે રેતી પીધે, ઝેર વડે જ જિવાય,
સૂરજ ઊગે રાત્રિએ, તો હિંસા સુખદાય. ૨૮ અર્થ :- રેતી પીલવાથી તેલ ઝરે અને ઝેર વડે જીવી શકાય તથા રાત્રે સૂર્યનો ઉદય થાય તો હિંસા સુખદાયી થાય. ૨૮.
જડ જાણે જો જીવને, જીવ કદી જડ થાય,
દેહધારી કો ના મરે, તો હિંસા સુખદાય. ૨૯ અર્થ :- જડ વસ્તુઓ જો જીવ તત્ત્વને જાણે અથવા જીવ કદી જડ બની જાય તથા દેહધારી કોઈ મરે નહીં તો હિંસા સુખદાયક થાય. એમ ત્રિકાળમાં પણ બની શકે નહીં. માટે હિંસા કરનાર જીવ કદી સુખ પામે નહીં પણ સરવાળે દુઃખનો જ ભોક્તા થાય. ૨૯
દુખ દીઘે દુખ પામિય, સુખ દીઘે સુખ થાય,
સમ્યગદ્ગષ્ટિ આવતાં, દેહ દ્રષ્ટિ દૂર જાય. ૩૦ અર્થ - કોઈપણ જીવને દુઃખ આપવાથી સ્વયં દુઃખને પામે અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખનો ભોક્તા થાય. એવી સમ્યકદ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે સર્વમાં દેહ જોવાની દ્રષ્ટિ દૂર થઈ આત્મદ્રષ્ટિનો ઉદય થશે. ૩૦ના
લાંબુ આયુષ્ય, યશ મળે, નીરોગ સૌ સુખ હોય,
સત્સંગતિ, સુંદર શરીર-ફળ કરુણાનાં જોય. ૩૧ અર્થ :- લાંબુ આયુષ્ય કે યશની પ્રાપ્તિ થવી, નિરોગીપણું અથવા સર્વ પ્રકારના ભૌતિક સુખ મળવા, સજ્જન પુરુષોની સત્સંગતિનો જોગ થવો અથવા સુંદર શરીર મળવું; તે સર્વ પૂર્વ ભવોમાં કરેલ કરુણાનું ફળ જાણવું. ll૩૧ાા
ઉત્તમ પદ નિર્ભય, સબળ, શોકરહિત મન હોય,
કળાકુશળ, સુખી જીંવનભર-ફળ કરુણાનાં જોય. ૩૨ અર્થ – ઉત્તમ પદવી પ્રાપ્ત થવી, નિર્ભયપણું, બળવાનપણું, મનનું શોકરહિત હોવું, કળામાં કુશળતા, જીવનભર સુખી રહેવું એ સર્વ કરુણા એટલે દયા પાળવાના ફળ જાણવા.૩રા.
દયાપાત્ર ને દયાળુ – એ બન્નેને સુખરૂપ;
દયાપ્રવાહે જગ જીંવે, સમજો દયાસ્વરૂપ. ૩૩ અર્થ - જેના ઉપર દયા કરવામાં આવે એવા દયાપાત્ર જીવનું કામ થાય અને દયાળુ પુરુષને બીજા પ્રત્યે દયા કરવાથી પુણ્યનો બંઘ થાય એમ દયાથર્મ બન્નેને સુખરૂપ છે. એકબીજા પ્રત્યે દયાના પ્રવાહને લીધે આખું જગત સુખે જીવી રહ્યું છે. માટે હે ભવ્યો! સર્વ સુખના મૂળભૂત એવા દયાઘર્મના