SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ સુજ્ઞાન, સુદર્શન અને ચારિત્રની જે એકતા, તેથી જ આતમધ્યાન માની આદર્યું દે મુક્તતા; પાયો સુદર્શન ધર્મનો, તત્ત્વાર્થ-શ્રદ્ધારૂપ તે, સ્વાધ્યાય પણ તે તત્ત્વદર્શક વાર્ણી સુણી ઊપજે, ૪૨ અર્થ :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રની એકતા વડે જ આત્મધ્યાન થાય છે, એમ માનીને જે તેને આદરે તે મુક્તિને પામે છે. સત્ ધર્મનો પાયો પણ સમ્યગ્દર્શન છે. જે તત્ત્વોની શ્રદ્ધા કરવારૂપ છે. ‘તત્ત્વાર્થી શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્' -મોક્ષશાસ્ત્ર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો તે પણ સાચા તત્ત્વનું દર્શન કરાવનાર છે. તથા ભગવાનની વાણી સાંભળીને પણ સત્ય તત્ત્વનું ભાન કરાય છે. ।।૪૨। છે જ્ઞાન-દર્શન જીવ-લક્ષણ, કર્મ કરીને ભોગવે, તે કર્મ તજતાં મોક્ષરૂપ નિજ ભાવે ક્ષણ ક્ષણ દાખવે; છે હોનુષ્ય પ્રદેશ તોયે દેહરૂપ અવગાહના, રૂપ, ગંધ, રસ, શબ્દાદિ જડના કોઈ પણ ગુણો વિના. ૪૩ અર્થ :— આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન છે. જીવ કર્મ કરે છે તેથી તેને ભોગવે છે. તે કર્મને સર્વધા ત્યાગવાથી જીવ મુક્તસ્વરૂપ એવા પોતાના આત્મસ્વભાવને જ ક્ષણે ક્ષણે ભોગવે છે, અર્થાત્ સ્વભાવનો જ પછી તે કર્તા બને છે. આ જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે લોકાકાશના પ્રદેશ સમાન છે. તો પણ તે અસંખ્યાત પ્રદેશ હાલમાં તો દેહના આકારે જ અવગાહનાને ઘારણ કરીને રહેલા છે. તેમ રૂપ, રસ, ગંધ, શબ્દાદિ એ પુદ્ગલના ઘર્યું છે અને તે જડરૂપ છે, કોઈ પન્ન દ્રવ્ય, ગુણો વિના છોતું નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં જ સદા પરિણમન કર્યા કરે છે. ।।૪૩ એવા અનંતાનંત જીવો વિશ્વમાં સઘળે દીસે; સન્માર્ગ આરાથી સમાધિ-સુખમાં બહુયે વસે. વર્ષી અર્જીવ આ નામ, કાળ, ધર્મ, અથર્મ પુદ્દગલ દ્રવ્ય છે, પુદ્ગલ જ જીવનવિભાવથી બની કર્મ રૂપ બંધાય છે, ૪૪ ૩૪૯ અર્થ :– જ્ઞાન દર્શન લક્ષાથી યુક્ત એવા જીવો વિશ્વમાં અનંતાનંત છે. તે જગતના સર્વ સ્થાનોમાં રહેલા છે. તેમાંના ઘણાએ જીવો તો સભ્યજ્ઞાનદર્શન ચારિત્રરૂપ સત્માર્ગને આરાધી આત્માના નિર્મળ સમાધિસુખમાં નિવાસ કરે છે. તથા વિશ્વમાં અજીવ તત્ત્વ એવા આ આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. તેમાંનુ એક પુદ્ગલ દ્રવ્ય જ જીવના વિભાવભાવોને પામી, કર્મરૂપે બની, તેની સાથે જોડાઈ જાય છે. ૪૪॥ વિભાવ ભાવે કર્મ આવે, એ જ આસ્રવ જાણજો; મન-વચન-કાય-પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ, અણુગણ માનજો, સ્થિતિ, રસ કપાય-નિમિત્તથી આઠેય કર્મ વિષે વસે; એ ચાર વિધિથી કર્મ-બંધન આત્મદેશ વિષે દીસે. ૪૫ અર્થ :– જીવના વિભાવભાવથી જ કર્મનું આવવાપણું થાય છે અને એને જ તમે આસ્રવ જાણજો, = તથા મન વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ એ કર્મનો પ્રકૃતિબંધ અને અૠગણ એટલે પ્રદેશબંધ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy