SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સઘળા પદાર્થોની પંચાતમાં પડો નહીં, પણ માત્ર તમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે જ હે ભાઈ! હવે તો કમર કસીને તૈયાર થાઓ. II૪પા શરીર માત્ર પરિગ્રહે આરંભ-વૃદ્ધિ જાણ; અશરણ, અનિત્ય દેહ પર રાગ કરે ન સુજાણ. ૪૬ અર્થ :- આ શરીર માત્રના પરિગ્રહ વડે સંસારી જીવ તેને સુખી કરવા માટે અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ સુજાણ એટલે સમ્યકજ્ઞાનને ઘરનારા એવા સપુરુષો તે આ અનિત્ય અને અશરણવાળા દેહ પ્રત્યે રાગ કરતા નથી. II૪૬ાા દ્વેષ પરિગ્રહ પર કરો, ઘરો મુક્તિ પર રાગ; તઓં દુર્ગાન સુધ્યાનથી ગ્રહો પરમપદ લાગ. ૪૭ અર્થ - દ્વેષ કરવો હોય તો આ પરિગ્રહ વિષેની મૂચ્છ પ્રત્યે કરો અને રાગ કરવો હોય તો સર્વ દુઃખના ક્ષયરૂપ એવા મોક્ષ પ્રત્યે કરો. કેમકે : “પરિગ્રહ જેટલો છે તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.” ઓ. ભા.-૧ (પૃ.૨૬૦) પરિગ્રહવડે થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગી દઈ ઘર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરી પરમપદ પ્રાપ્તિનો આવેલ લાગનો લાભ લઈ લો. ૪ળા લોભ મમત્વે ઊપજે, લોભ રાગનું મૂળ; રાગે વેષ થતો તથા વેષે દુખની શુળ. ૪૮ અર્થ - પરિગ્રહ પ્રત્યે મમત્વભાવ કરવાથી જીવને લોભ કષાય ઉત્પન્ન થાય છે. લોભ કષાય એ રાગનું મૂળ છે. તથા રાગભાવ જીવમાં હોવાથી તેમાં વિઘ્ન કરનાર પ્રત્યે દ્વેષભાવ ઊપજે છે. અને દ્વેષભાવ એ જીવને પ્રત્યક્ષ દુઃખની શૂળનું કારણ થાય છે. ૪૮ નિર્મમત્વ વર તત્વ છે, નિર્મમતા સુખ-ખાણ, નિર્મમતા બીજ મોક્ષનું-જ્ઞાન-સાર આ જાણ. ૪૯ અર્થ :- મમતા રહિતપણું એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. જીવને નિર્મમત્વભાવ જ સુખની ખાણ છે. મોક્ષનું બીજ પણ નિર્મમત્વભાવ છે. માટે એને જ તું સર્વજ્ઞાનનો સાર જાણ. તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું, કર કર આત્મ-વિચાર. ૫૦ અર્થ – ઘન ઘાન્યાદિ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહનો તથા કષાય, નૌકષાય અને મિથ્યાત્વરૂપ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર, ત્યાગ કર. તથા હિંસાના કારણરૂપ આરંભને શીધ્ર નિવાર. પર પદાર્થો પ્રત્યેના મોહનો પરિત્યાગ કર, પરિત્યાગ કર અને આત્મનો વિચાર કર, વિચાર કર. /૫૦ના ઘર ઘર, જીંવ, ચારિત્ર તું, દેખ દેખ નિજ રૂ૫; કર કર સન્દુરુષાર્થ એ શિવ-સુખ ચાખ અનુપ. ૫૧ અર્થ :- હે જીવ! હવે તું સર્વસંગ પરિત્યાગ કરી સમ્યક્રચારિત્રને ધારણ કર, ઘારણ કર. તથા પોતાના આત્મસ્વરૂપને દેખ, આત્મસ્વરૂપને દેખ. આત્મસ્વરૂપને પામવા સત્યપુરુષાર્થ કર, સત્ પુરુષાર્થ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy