SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એકાંતે મોક્ષની સિદ્ધિ કોઈ રીતે નહીં બને : આત્મા નથી', કહે તે તો મોક્ષ કોનો થવો ગણે? ૨૧ અર્થ :- આત્માના ગુણધર્મોને એકાંતે માનવાથી મોક્ષની પ્રાપ્તિ કોઈ રીતે પણ થાય તેમ નથી. ચારવાક દર્શનવાળા એટલે નાસ્તિક મતવાળા આત્મા નથી એમ માને છે તો પછી આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો પ્રશ્ન જ નથી. ૨૧}ા. “આત્મા એક જ માને તો અનન્ય શુદ્ધ રૂપ તે; ભવે દુઃખો ગણે શાને? મોક્ષ સાધ્ય ન તેમને. ૨૨ અર્થ :- આ વિશ્વમાં “એક જ આત્મા છે' એમ વેદાંત માને છે. તો તે અનન્ય છે અર્થાત્ તે બીજા રૂપે નથી માટે તે શુદ્ધ સ્વરૂપે જ છે. તો પછી સંસારમાં શુદ્ધ આત્માને દુઃખ શાનું? અને આત્માને દુઃખ જ નથી તો પછી મોક્ષ સાધ્ય કરવાનો ઉપાય શા માટે કરવો. તે વ્યર્થ જણાય છે. ૨૨ાા “માત્ર ક્ષણિક આત્મા” જો મોક્ષ શાશ્વત ના ઘટે; ઇશ્વરી યોજના” માળે, ના પરાઘનતા મટે. ૨૩ અર્થ :- “આત્મા તો ક્ષણિક માત્ર છે.” એમ બૌદ્ધ મતવાળા માને છે. એમ માનવાથી તે આત્મા મોક્ષમાં પણ શાશ્વત ઠરતો નથી. તથા આ જગતને “ઇશ્વરી યોજના' એટલે ઇશ્વરની લીલા માનવાથી પ્રાણીભૂતને સદૈવ ઈશ્વરની પરાધીનતા રહી. તે કદી સ્વતંત્ર થઈ શકે જ નહીં. અને સ્વતંત્રતા વિના પરાધીન અવસ્થા જીવને કદી સુખનું કારણ હોઈ શકે નહીં. ૨૩ અકર્તા માત્ર આત્મા” જો, બંઘાયો કેમ તે દસે? કર્મ-કર્તા સદા” માન્ય કર્મ-મુક્ત ન કો થશે. ૨૪ અર્થ - સાંખ્ય મતવાળા આત્માને માત્ર અકર્તા માને છે. તે ચોવીસ પ્રકૃત્તિ અને પચ્ચીસમો પુરુષ તે આત્મા એમ માને છે. ચોવીસ પ્રકૃતિથી પુરુષરૂપ આત્માનું ભિન્ન થઈ જવું તેને મોક્ષ માને છે. પણ જો આત્મા અકર્તા જ છે તો પછી તે કર્મોથી બંઘાયો કેવી રીતે? તેનો વિચાર આવવો જોઈએ. કોઈ મતવાળા એકાન્ત આત્માને કર્મનો સદા કર્તા જ માને છે. એમ માનવાથી કોઈ પણ આત્મા કદી પણ કર્મથી મુકાઈ શકશે નહીં. ૨૪. સર્વ જેમ જામ્યો છે આત્મા તેમ જ માનતાં, વિરોઘો કોઈ ના દીસે સ્યાદ્વાદ-ઘર્મ સાથતાં - ૨૫ અર્થ - સર્વજ્ઞ પુરુષોએ કેવળજ્ઞાન વડે આત્માને જેમ જામ્યો છે તેમ જ માનવાથી કોઈ પણ વિરોધાભાસ આવશે નહીં. સર્વ વિરોઘના નાશને અર્થે ભગવંતે સ્વાદુવાદ-ઘર્મનો ઉપદેશ કર્યો છે. તે પ્રમાણે સર્વત્ર જોવા યોગ્ય છે. ગરપા “આત્મા’ ચૈતન્ય રૂપે “છે', “નથી તે જડ સર્વથા; સર્વ જ્ઞાનાદિ ગુણોનો ‘એક’ આઘાર સર્વદા; ૨૬ સ્યાદ્વાદપૂર્વક સર્વ આત્માને કેવી રીતે જાણ્યો તે હવે જણાવે છે – અર્થ :- આત્મા સદા ચૈતન્ય સ્વરૂપ છે. તે સર્વથા જડરૂપે કદી થતો નથી. નિગોદમાં પણ અક્ષરના
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy