SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) જિનદેવ-સ્તવન ૧ ૧ નમસ્કાર કરું છું. સર્વોત્તમ સુખના કારણભૂત વીતરાગ વિજ્ઞાનના દાતાર એવા મહાન જિનેન્દ્ર પ્રભુ જગતમાં આપ જયવંત વર્તા, જયવંત વર્તા. ||૧૮. કર અભાવ ભવભાવ બઘાનો, સહજ ભાવ સુખધામ, જય અપુનર્ભવભાવ સ્વરૂપી, મુજ ઉરના વિશ્રામ. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૯ અર્થ - હે પ્રભુ! ભવભાવ એટલે સંસારભાવ અર્થાત્ રાગદ્વેષ કામ ક્રોધાદિક બધા વિભાવિક ભાવોનો અભાવ કરીને સુખધામ એવા સહજ આત્મભાવને આપ પામ્યા. તેથી હવે અપુનર્ભવભાવ સ્વરૂપી બની ગયા અર્થાત્ ફરીથી હવે નવો ભવ ઘારણ કરવાના નથી. એવા શુદ્ધભાવને પામવાથી મારા ઉર એટલે હૃદયના આપ વિશ્રામરૂપ બન્યા છો; અર્થાત્ મારા હૃદયમાં પણ આપના જેવો શુદ્ધભાવ પ્રગટાવવાની કામના ઉત્પન્ન થઈ છે. માટે હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જયજયકાર હો, જયજયકાર હો. ||૧૯ાા દ્રવ્ય-ગૂણ-પર્યાયથ જે જન કરે તેજ ઓળખાણ, મોહ - ક્ષય કરી મહાપુરુષ તે પામે પદ નિવણ. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૦ અર્થ :- હે પ્રભુ! આપનું આત્મદ્રવ્ય પરમશુદ્ધ છે, આપ અનંતગણના ઘામ છો. તેમજ સમયે સમયે આપના શુદ્ધ સ્વરૂપની પર્યાય પણ શુદ્ધ શુદ્ધ રીતે જ પરિણમી રહી છે, એવા આપ પ્રભુના સાચા સ્વરૂપની ઓળખાણ જે ભાગ્યશાળી ભવ્ય જન કરશે તે પોતાનો મોહ ક્ષય કરી મહાપુરુષ બની નિર્વાણપદ એટલે મોક્ષપદને પામશે. એવા મોક્ષપદ પ્રાપ્તિના કારણરૂપ જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. “जे जाणई अरिहंते, द्रव्य गुण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं ।" “જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે.” (વ.પૃ.૫૭૧) I/૨૦ાા તજ દર્શન-પ્રીતિ પ્રગટી ઉર તે જ પુણ્ય-તરુ-પાન, તુજ સન્મુખ થવા અભિલાષા પુણ્ય-પુષ્પ વિઘાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૧ અર્થ - ભવ્યાત્માના હૃદયમાં તારા બોઘેલ વીતરાગ દર્શન પ્રત્યે જો પ્રેમ પ્રગટ્યો તો તે પુણ્યરૂપી વૃક્ષની કુંપળ ફૂટવા સમાન છે. તથા તારા ઘર્મને આરાઘવાની જો અભિલાષા ઉત્પન્ન થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર પુષ્પ ખિલવાના વિધાન એટલે ઉપાય સમાન છે; અર્થાત્ તે ભવ્ય પ્રાણીના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થયો. તે સર્વના કારણભૂત મહાન જિનેન્દ્ર પ્રભુને મારા અગણિતવાર વંદન હો. રના તુજ દર્શનની પ્રાપ્તિ મુજને પુણ્યત-ફળ-દાન, સકળ કર્મ-મૅળ કાપીને દે મોક્ષ સ્વરૂપ-નિશાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૨
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy