SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન એમ તેને ધર્મમાં દૃઢ જાણી ગોશાળો વિલખો થઈ ત્યાંથી વિહાર કરી ગયો. શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોધ પામ્યું છે, જેણે ગોશાળાના મિથ્યાપક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યક્ત્વની યત્નાઓને ઘારણ કરવામાં પ્રવીણ છે તેવો સદ્દાલપુત્ર શ્રાવક ધર્મની આરાધના કરી સ્વર્ગે ગયો. ।।૩૫।। છ આગાર છૂટ છ ભેદી શાસ્ત્ર વિષે કહી આપ-ધર્મ સમાન, ન ભાવે; રાજબળે, સમુદાયવશે, વળી ફોજ વિષે, "સુરત્રાસ સતાવે, તેમ પવડીલ–દબાણ થતાં; વન, ઘોર દુકાળ વિષે ğવિકાર્થે જો વિપરીત સુદૃષ્ટિતણું પણ વર્તન હોય, ન દોષ પરાર્થે. ૧૮૩ અર્થ :– હવે શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના છ આગાર અર્થાત્ છ પ્રકારની છૂટ જણાવેલ છે; તે ઘર્મમાં આવેલ આપત્તિ સમાન ગણી છૂટોનો ઉપયોગ સમ્યદૃષ્ટિ જીવ ભાવપૂર્વક કરતા નથી. તેમાંની પહેલી છૂટ તે રાજાના બળથી કોઈ કામ કરવું પડે, બીજાં લોકોના સમુદાયવશ કોઈ કાર્ય કરવું પડે, ત્રીજું ફોજમાં જઈ કોઈ કાર્ય કરવું પડે, ચોથું દેવતાના ત્રાસથી કંઈ કરવું પડે અને પાંચમું મિથ્યાત્વી એવા માતાપિતા વગેરે વડીલોના દબાણથી કંઈ કરવું પડે તથા છઠ્ઠું-કોઈ વનમાં આવી પડ્યા હોઈએ કે ભયંકર દુષ્કાળમાં આજીવિકા અર્થે કોઈ નિષેધ કરેલ કાર્ય કરવું પડે તો તે સર્વ આગાર એટલે છૂટરૂપે ગણાય છે. આ સર્વમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિપરીત વર્તન હોય તો પણ તેને વ્રતાદિનો ભંગ માનેલ નથી. કેમકે તે પરના દબાણથી કરવામાં આવેલ છે, સ્વેચ્છાએ નહીં. તે ઉપર દૃષ્ટાંત – કાર્તિકશેઠનું દૃષ્ટાંત :– રાજાના બળથી કાર્ય કરવું પડયું. પૃથ્વીભૂષણ નગરમાં મુનિસુવ્રત સ્વામીથી પ્રતિબોધ પામેલો કાર્તિક શેઠ રહેતો હતો. એક દિવસ નગરમાં ગૈરિક નામનો તાપસ આવ્યો. કાયમ એક મહિનાના ઉપવાસ કરીને પારણું કરતો હતો. કાર્તિક શેઠ સિવાય સર્વ લોકો તેના ભક્ત બન્યા. તેથી તાપસ કાર્તિક શેઠ ઉપર દ્વેષ રાખવા લાગ્યો. એક દિવસ રાજાએ તાપસને પોતાને ત્યાં પારણા માટે બોલાવ્યો. ત્યારે તાપસ કહે કે કાર્તિક શેઠ મને પીરસે તો જ હું પારણું કરું. તેથી રાજાએ શેઠને બોલાવી કહ્યું કે આ તાપસને મારા ઘરે આવી જમાડો. શેઠે કહ્યું – આપની આજ્ઞાથી હું જમાડીશ. મનમાં આગાર છે તેથી વ્રતનો ભંગ નથી. પણ મારી ઇચ્છાથી જમાડતો નથી. જમાડતી વખતે તાપસે પોતાના નાક ઉપર આંગળી ઘસીને ઇશારો કર્યો કે હવે તારું નાક કપાયું કે મને જમાડવા આવવું પડ્યું. અવસર આવ્યે કાર્તિક શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આરાધના કરી સૌધર્મેન્દ્ર થયા અને તે તાપસ મરીને સૌ ધર્મેન્દ્રનો એરાવણ નામનો હાથી થયો. ઇન્દ્ર એના ઉપર બેસવા જાય છે કે તે હાથી અનેક રૂપ કરે છે. ઇન્દ્ર ઉપયોગથી જોયું તો એ ઐરિક તાપસનો જીવ છે એમ જાણી તેની તર્જના કરી. તેથી તે મૂળસ્વરૂપમાં આવ્યો. કાર્તિક શેઠ ઇન્દ્રનો જીવ છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય અવતાર લઈ મોક્ષપદને પામશે. એમ સ્વેચ્છાએ નહીં પણ સમુદાયવશ, કે દેવના ત્રાસથી કે વડીલોના દબાણથી વગેરે કંઈ કરવું પડે તો તેને છ આગારરૂપે ગણવામાં આવેલ છે. ।।૩૬।। છ ભાવના સમ્યગ્દર્શનની ઉપમા ષટ્ ચિંતવવી ઉપયોગી ગણી છે :મોક્ષતરુંĂલ, દ્વાર સુથર્મતણું, શિવમંદિર-પીઠ ભણી તે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy