________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૦ ૩
હવે બારમી ઘર્મદુર્લભભાવનાનું ચિંતન કરે છે :
દશ લક્ષણરૂપ ક્ષમાદિ યતિઘર્મ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે. તે યતિઘર્મ સંસારથી છૂટવાના ઇચ્છુક એવા મુમુક્ષુને તો મોક્ષ આપનાર થાય છે. માટે સર્વોપરી પુરુષાર્થ આદરું. કેમકે થર્મનો મર્મ જે દેહાધ્યાસ છોડવારૂપ છે તે સહજે લક્ષમાં આવવો દુર્લભ છે.
ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮) //પરા
પ્રભુ-ભાવ જ્ઞાને જાણ લોકાંતિક દેવો આવિયા, તે પ્રાર્થના પ્રભુની કરેઃ “તપકાળ તક શુભ આવી આ. તર તારશો બહુજન તમે; વળી કોઈ તમ સમ પણ થશે,
તપ આદરી સમકિત સહ મોક્ષે મહાભાગ્યે જશે.” પ૩ અર્થ :- પ્રભુના યતિધર્મ આરાધવાના ભાવ અવધિજ્ઞાનથી જાણીને લોકાંતિક દેવો ત્યાં આવી પહોંચ્યા, અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ! તપ આરાઘવાની શુભ તક આવી ગઈ છે. આપ સંસાર સમુદ્રને તરી બીજા અનેક ભવ્યોને તારશો. વળી કોઈ તો આપના પસાયે આપ સમાન તીર્થંકર પદ પ્રાપ્તિ કરનાર પણ થશે. આપની કૃપાએ મુમુક્ષુઓ ઇચ્છાઓનો નિરોઘ કરવારૂપ તપને આદરી સમકિત પામી મહાભાગ્ય વડે મોક્ષપદને પામશે. આપણા
(૧૧) મહાવીર દેવ
ભાગ ૩ (હરિગીત)
દેવર્ષિ લૌકાંતિક દેવો દેવલોકે જ્યાં ગયા, ત્યાં ઇન્દ્ર આદિ અન્ય સુરગણ ભક્તિથી ભેગા થયા. તૈયારી તપ-કલ્યાણ-ઉત્સવ કાજ સર્વ કરે હવે,
અભિષેક ક્ષીરોદધિ-જળ પ્રભુને કરી દેવો સ્તવે. ૧ અર્થ - દેવોમાં ઋષિ સમાન લૌકાંતિક દેવો પ્રભુને દીક્ષા માટે પ્રાર્થના કરીને દેવલોકમાં જ્યાં ગયા કે ત્યાં ઇન્દ્ર આદિ બીજા દેવતાઓ પણ ભક્તિથી ભેગા થયા અને ભગવાનના તપકલ્યાણક ઉત્સવ માટેની સર્વ તૈયારી કરવા લાગ્યા. પછી પ્રભુ પાસે આવી ક્ષીરોદધિ સમુદ્રનું જળ લાવીને પ્રભુનો અભિષેક કરી તેમની ભાવપૂર્વક સ્તુતિ કરી. લા.
માતાપિતાને શ્રી મહાવીર મઘુર વચને બોઘતા, વૈરાગ્યભર વાણી વડે બહુ બહુ કરી સમજાવતા.