SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ અર્થ - ક્ષણ ક્ષણમાં વિનાશ પામતી એવી જગતની સર્વ વસ્તુઓનો વિચાર કરીને હવે ઝટ મોક્ષના શાશ્વત સુખ મેળવવા માટે હું મહાઉદ્યમ કરું. વળી મરણ સમયે કોઈ પણ સંસારી જીવો જીવને શરણરૂપ નથી. તે સમયે સદ્ધર્મ કે ઘર્માત્મા સમાન સમાધિમરણ કરાવનાર બીજાં કોઈ પ્રબળ અવલંબન નથી ૪૦ શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ, ઘનાદિનું? દુઃખદાયી આખર નીવડે, તે મૂળ છે મોહાદિનું. નિર્મોહી નરને આશ્રયે સ્વ-સ્વરૃપ-સ્થિતિ સંભવે; તેથી ન બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. ૪૧ અર્થ :- મરણ સમયે અજ્ઞાની એવા સગાંકુટુંબીઓનું કે કુદેવોનું કે ઘનાદિનું શું શરણ લેવું? તે જીવને આખરે દુઃખદાયી જ નિવડે છે. કેમકે તે મોહ, રાગદ્વેષાદિના મૂળ છે, નિર્મોહી નર એવા આત્મજ્ઞાની સપુરુષોના આશ્રયે જ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાનો સંભવ છે. તેથી બુદ્ધિમાન એવા પુરુષો એવું શરણ કદી ગ્રહણ ન કરે કે જેથી જીવને સ્વસ્વરૂપનો ભુલાવો થાય. //૪૧ાા હવે ત્રીજી સંસારભાવનાનો વિચાર કરે છે : “સંસાર-વનની તનગુફામાં સિંહરૂપ દુખવાસ છે; ઇન્દ્રિય લૂંટારા રહે ત્યાં કર્મ-અરિનો ત્રાસ છે. ભવ, ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર સાથે કાળ રૅપ સંસાર તો પાંચ પ્રકારે રે! ભમ્યો છંવ, મોક્ષ એક જ સાર જો. ૪૨ અર્થ - સંસારરૂપી વનમાં આવેલ તન એટલે શરીરરૂપી ગુફામાં, સિંહરૂપે જીવનો દુ:ખમાં વાસ છે. શરીરમાં વળી ઇન્દ્રિયરૂપ લૂંટારા રહે છે. તેના કારણે જીવને કર્મરૂપી અરિ એટલે શત્રુઓનો ઘણો ત્રાસ સહન કરવો પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ પ્રકારના પરાવર્તન કરતો આ જીવ સંસારમાં અનંતકાળ ભમ્યો અને દુઃખ પામ્યો. માટે આ સંસારમાં એક મોક્ષ જ સારભૂત તત્ત્વ છે, બાકી બધું અસાર છે. “સહજસુખસાઘન'માંથી - “આ સંસાર અગાધ, અનાદિ અને અનંત છે. આ સંસારી જીવે પાંચ પ્રકારના સંસાર પરાવર્તન અનંતવાર કર્યા છે. પાંચ પરાવર્તન:- ૧. દ્રવ્ય પરાવર્તન. ૨. ક્ષેત્ર પરાવર્તન. ૩. કાળ પરાવર્તન. ૪. ભવ પરાવર્તન ૫. ભાવ પરાવર્તન. તેનું અતિ સંક્ષેપમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે : (૧) દ્રવ્ય પરાવર્તન :- પુદ્ગલ દ્રવ્યના બઘાંય પરમાણુ અને ઢંઘોને આ જીવે ક્રમપૂર્વક ગ્રહણ કરી કરીને અને ભોગવી ભોગવીને છોડ્યાં છે. એવા એક દ્રવ્ય પરાવર્તનમાં અનંતકાળ વ્યતીત કર્યો છે. (૨) ક્ષેત્ર પરાવર્તન - લોકાકાશનો કોઈ એવો પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં ક્રમ ક્રમથી જીવ ઉત્પન્ન થયો ન હોય. એવા એક ક્ષેત્ર પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તનથી પણ દીર્ઘ અનંતકાળ વિતાવ્યો છે. | (૩) કાળ પરાવર્તન : - ઉત્સર્પિણી એટલે જે કાળચક્રમાં આયુ, કાળ, સુખ વઘતાં જ જાય છે. અવસર્પિણી એટલે જે કાળમાં એ બઘાં ઘટતાં જાય છે. આ બન્ને યુગોના સૂક્ષ્મ સમયોમાં કોઈ એવો સમય બાકી રહ્યો નથી કે જેમાં આ જીવે ક્રમ ક્રમથી જન્મ અને મરણ કર્યા ન હોય. એવા એક કાળપરાવર્તનમાં
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy