________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ પ્રભુની દિવ્ય ધ્વનિ સાંભળીને ચક્રવર્તી મનમાં તે વાણીના મર્મને ચિંતવવા લાગ્યા કે ખરેખર કર્મના અવલંબને આ મન પરપદાર્થો ભોગવવાથી તૃતિ પામતું જ નથી. શા
રે! મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓલવે, તેવું કર્યું મેં શાંતિ સારું વિષય ભોગો ભોગવ્ય. જે શરીરથી ભોગો મળે તે મૂત્રમળની ખાણ છે,
આ પાપકારણ રાજ્યને ધિક્કાર! ઘૂળ સમાન એ. ૮ અર્થ :- અરે! કોઈ મૂર્ખ માણસ સળગતી અગ્નિમાં તેલ રેડી તેને ઓલવવા ઇચ્છે, તેવું મેં પણ વિષય ભોગો ભોગવી શાંતિ મેળવવા માટેનો પ્રયાસ કર્યો. જે શરીરવડે ભોગોની પ્રાપ્તિ થાય તે શરીર તો મૂત્ર અને મળની ખાણ છે.
ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ,
કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર આ પાપના કારણરૂપ રાજ્યને પણ ધિક્કાર છે કે જે સંતોષ ઘન આવ્યું ધૂળ સમાન ભાસે. તા.
છન્ન હજારે રાણીઓ રે! પાપની સૌ ખાણીઓ, કુટુંબના બંધુજનો બંઘન સમાન પ્રમાણ લ્યો; વળી વિત્ત વેશ્યાસમ ગણો, નહિ એકને સેવે કદી,
રે! વિષય-સુખ સૌ ઝેર જાણો, ક્ષણિક સામગ્રી બઘી. ૯ અર્થ - અરે! આ છન્ન હજાર મારી રાણીઓ છે. તે પણ પાપ ભાવને કરાવનારી હોવાથી પાપની જ ખાણરૂપ છે. કુટુંબના ભાઈ વગેરે સ્વજનો પણ મોહ કરાવી કર્મબંઘન કરાવનાર છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો.
વળી વિત્ત એટલે ઘનને તો વેશ્યા સમાન ગણો કે જે કદી એકને સેવતું નથી. અરે! આ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખને ઝેર સમાન જાણો કે જે જીવને પરાધીન બનાવે છે અને ક્ષણિક છે. ll
હું જ્ઞાન તલવારે હવે આ મોહબંઘન કાપીને, જગપૂજ્ય દીક્ષા આદરું છું, પ્રભુ-પદે શિર થાપીને. સંયમ વિના દિન આટલા ખોયા અરે! મેં પાપીએ,
તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. ૧૦ અર્થ :- હવે હું સમ્યકજ્ઞાનરૂપી તલવાર વડે આ મોહના બંધનને કાપી નાખી જગતપૂજ્ય એવી વીતરાગદીક્ષાને પ્રભુના ચરણમાં (આજ્ઞામાં) મન રાખીને ગ્રહણ કરું છું.
ઇન્દ્રિયોને રોકવારૂપ સંયમ વિના મેં પાપીએ જીવનના આટલા દિવસો વ્યર્થ ખોઈ નાખ્યા. તે દિવસોને કોઈ પાછા લાવી આપે તો હું કે સઘળું રાજ્ય આપી દઉં. /૧૦ના
અહંત-દીક્ષા દુર્લભા, સૌ દેવ, તિર્યંચાદિને, રે! ચક્રવર્તી મુક્તિ માટે પાળતા દુખ વેઠીને.” સદ્ઘર્મની દઈ દેશના કરતા સદાય પ્રભાવના, સંન્યાસ સહ સાથી સમાધિ-મરણથી આરાઘના. ૧૧