________________
૮ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બાજાથી હોય છે. આઠ સોનૈયા જેટલું વજન હોય છે. અંધકારથી વ્યાપ્ત એવી ગુફામાં એકેક યોજનના અંતરે ૪૯ મંડળ પાંચસો પાંચસો ઘનુષ્યના ગોળાકાર કરે છે. (અથવા થાય છે, તેથી ચક્રવર્તી જીવે ત્યાં સુધી ચંદ્રમાની સમાન પ્રકાશ રહે છે. (૭) ચર્મરત્ન - બે હાથ જેટલું લાંબુ હોય છે. અને ગંગા સિંધુ જેટલી મોટી નદીમાં ૧૨ યોજન લાંબી અને નવ યોજન ચૌડી નાવ સમાન થઈ જાય છે. એમાં સર્વ સૈન્ય બેસીને પાર થઈ જાય છે. (આ ત્રણ રત્ન લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.)
સાત પંચેદ્રિ રત્નો નીચે પ્રમાણે હોય છે :(૧) સેનાપતિ રત્ન – વચલા બે ખંડ છોડી આસપાસના ચાર ખંડ સાથે, ગુફાના કમાડ ખોલે.
(૨) ગાથાપતિ રત્ન – ચર્મ રત્ન પૃથ્વીના આકારમાં જ્યારે બની જાય ત્યાર પછી તેમાં પહેલાં પહોરમાં ચોવીસ પ્રકારના અનાજ (થાન) અને સર્વ પ્રકારના ફળફુલ, પત્તાભાજી, મેવા મસાલા વાવે, બીજા પહોરમાં સર્વ તૈયાર થઈ જાય. ત્રીજા પહોરમાં મીઠું તૈયાર કરે, ચોથા પહોરમાં સર્વને જમાડી દે.
(૩) વર્ધકીરત્ન – ચક્રવર્તીનું જ્યાં પડાવ હોય ત્યાં એક મુહૂર્તમાં બાર યોજન લાંબુ નવ યોજન ચૌડું નગર વસાવે, ચક્રવર્તીને માટે બેંતાલીસ ભોમિયા મહેલ પૌષધશાળા યુક્ત બનાવે.
(૪) પુરોહિતરત્ન – મુહૂર્ત બતાવે, સામુદ્રિક શુકન, સ્વપ્નનું ફળ બતાવે, શાંતિપાઠ ભણે (જપ કરે) આ ચાર રત્ન ચક્રવર્તીની નગરીમાં ઉત્પન્ન થાય છે; અને ચક્રવર્તી જેટલી જ ઊંચાઈ હોય છે.
(૫) સ્ત્રીરત્ન- શ્રીદેવી. વેતાઠ્ય પર્વતના ઉત્તર દિશાની વિદ્યાઘરની શ્રેણિમાં રાજકન્યા થાય છે. ચક્રવર્તીની ઊંચાઈ કરતા ચાર આંગળ ઓછી હોય છે. મહાદિવ્ય રૂપવંત, સદા કુમારિકાની જેમ યૌવનવંતી રહે છે. પુત્ર થાય નહીં.
(૬) અથરત્ન – એકસો આઠ આંગળ પૂંછડાંથી મુખ સુધી લાંબો અને પગની ખરીથી તે કાન સુઘી એંસી આંગળ ઊંચો ઘોડો, ક્ષણ માત્રમાં ઇચ્છિત સ્થાને પહોંચાડે, સંગ્રામમાં વિજય કરે.
(૭) ગજરત્ન – હાથી. ચક્રવર્તીથી બે ગુણો ઊંચો, મહાશોભાયમાને, અવસરનો જાણ, સવારીમાં કામ આવે. (અશ્વરત્ન અને ગજરત્ન એ બન્ને વેતાદ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે.) નવનિધિઓ નીચે પ્રમાણે છે:
(૧) નૈસર્વ નિધિ – ગ્રામાદિક વસાવાની, કટકના એટલે સેનાના પડાવની રીતિ બતાવે. (૨) પંડુક નિધિ – તોલમાપની પ્રાપ્તિ થાય. (૩) પિંગળ નિધિ – મનુષ્ય અને પશુના સર્વ પ્રકારના આભૂષણોની પ્રાપ્તિ થાય. (૪) સવરયણ નિધિ – સર્વ પ્રકારના રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ થાય. (૫) મહાપા નિધિ – સર્વ પ્રકારના વસ્ત્ર તથા રંગને ઘોવાની વસ્તુની પ્રાપ્તિ થાય. (૬) કાળ નિઘિ – અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસ, કુંભકારાદિકના કર્મના પુસ્તકોની પ્રાપ્તિ થાય. (૭) મહાકાલ નિધિ – સુવર્ણાદિ સર્વ ઘાતુની પ્રાપ્તિ થાય. (૮) માણવક નિધિ - સંગ્રામની વિધિના પુસ્તક, સુભટોની પ્રાપ્તિ થાય.
(૯) શંખ નિધિ – ઘર્મ, અર્થ, કામ, મોક્ષની વિધિ બતાવવાળા શાસ્ત્રોની પ્રાપ્તિ થાય. અને સર્વ પ્રકારના વાજિંત્રની પ્રાપ્તિ થાય.
નવ નિથાન :- આ નવ નિદાન પેટી સમાન ૧૨ યોજન લાંબી, નવ યોજન પહોળી, ૮ યોજન