________________
अतीताननुसन्धानं, भविष्यदविचारणम् ।
औदासीन्यमपि प्राप्ते,
जीवन्मुक्तस्य लक्षणम् ॥
ભૂતકાળ જોડેનું અનુસંધાન નહિ. ભવિષ્યનો વિચાર નહિ. વર્તમાનક્ષણમાં પણ ઉદાસીનભાવે રહેવાનું. આ છે જીવન્મુક્તિ.
આમ જુઓ તો, સાધના કેટલી નાનકડી થઈ ગઈ ! એક જ ક્ષણ... અને એને ઉદાસીનભાવે ભરી દેવાની. ન રાગ હોય, ન દ્વેષ હોય, ન અહંકાર...
‘પંચવિંશતિકા’માં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે જીવન્મુક્તદશાની વ્યાખ્યા આપતાં કહ્યું :
जाग्रत्यात्मनि ते नित्यं,
बहिर्भावेषु शेरते ।
उदासते परद्रव्ये,
लीयन्ते स्वगुणामृते ॥
આત્મભાવમાં સતત જાગૃતિ, બહિર્ભાવમાં સુષુપ્તિ; પરપદાર્થોમાં ઉદાસીનભાવ... અને એ રીતે સ્વગુણોની ધારામાં વહેવું તે જીવન્મુક્તદશા.
આત્મભાવમાં - અલિપ્ત અને અખંડાકાર ચેતનાની ધારામાં વહેવું. કેવો તો રોમાંચક અનુભવ ! બહિર્ભાવમાં જવાનું હવે થયું બંધ... હવે ક્યાં છે ગમો ? ક્યાં છે અણગમો ? ક્યાં છે અહંકાર ?
૧૭૪૪ મોક્ષ તમારી હથેળીમાં
હા, પર પદાર્થો વાપરવાનું થશે, પણ તે ક્ષણોમાં ઉદાસીનભાવ વર્તતો હશે.
‘સે સરૂવસંતિ'... સ્વરૂપસંસ્થિતિનું નાનકડું સંસ્કરણ આ જીવન્મુક્તદશા.
...
ના હમ દરસન, ના હમ ફરસન ૧૭૫