________________
માગ્યા વગર સહાય આપનાર પ્રભુ.
સંબંધ વિનાના બાન્ધવ પ્રભુ.
અને –
કારણ વિના વાત્સલ્યની ઝડી વરસાવનાર પ્રભુ. ‘ત્વમરવત્સલ’.
જોકે, અહીં પણ નિષ્કારણતા મને મારા તરફ દેખાય છે. ‘એ’ની તરફ તો સકારણતા જ છે.
મને જરૂર લાગે કે મારા જેવા ૫૨ એ શી રીતે આટલું બધું વહાલ વરસાવે ? ભક્તિની સામે જ કૃપાધારાનું વહેવું હોય છે... તો, મારા તરફથી ભક્તિ ક્યાં હતી જ ? તો પછી, એ શી રીતે આટલું બધું વરસ્યો ?
પણ ‘એ’ની બાજુ તો, સકારણતા હતી. એણે મને તારવાનું નક્કી કરી દીધું હતું, એથી એ વાત્સલ્ય વરસાવીને જ મને ઊચકે ને !
અભિવ્રજયા.
પરમાત્માનું પરમ સમ્મોહન.
પણ ખરેખર તો, એણે જ મને ચાહ્યો; એને હું ચાહી શકું એ ભૂમિકા પર પણ એણે જ મને મૂક્યો... અત્યારે હું પરમને ચાહું છું, એનું કારણ છે માત્ર ‘એ'નો મારા તરફનો પ્રેમ...
૧૨૦ મોક્ષ તમારી હથેળીમાં
એણે મને બેહદ ચાહ્યો છે.
હું એને કેટલો ચાહી શક્યો છું, એ ‘એ’ જ જાણે. હા, એ અન્તર્યામી છે ને !
અભિયા.
પરમાત્માનું પરમ સમ્મોહન.
તમે એક ક્ષણ ‘એ'ના વિના રહી ન શકો. યાદ આવે પૂજ્ય આનંદઘન મહારાજ : ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છિન, કોટિ જતન કરી લીજે...’ તમે કરોડો યત્ન કરો; પણ પરમચેતના વિના તમે એક ક્ષણ ન રહી શકો. આખરે, એ જ તો આપણું જીવન છે ને ! ‘એ’ ન હોય તો આપણી પાસે શું રહે ? વેણીશંકર પુરોહિત પ્રભુને કહે છે : ‘તમારા વિનાના અમે અમારા વિનાના...’
..
આવી વિરહાવસ્થા ક્યારે પ્રગટે છે ? વિહાવસ્થાની પૂર્વે મિલનનો આનંદ જરૂરી છે. અલપઝલપ પ્રભુના મિલનનો આનંદ અનુભવ્યો; શી એની મીઠાશ...! એ મીઠાશ અનુભવ્યા પછી ‘એ’ના વિના રહેવું શું પાલવે ?
પૂજ્ય માનવિજય મહારાજ એ મિલનની... એ ક્ષણોની કેફિયત રજૂ કરતાં કહે છે : ‘કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મળિયો...' અગણિત જન્મોમાં ક્યારેય ચાખવા ન
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૨૧