________________
સમ્યક્ શુદ્ધાશયા અનુમોદના.
અનુમોદના ધર્મ શુદ્ધ આશયથી ભરપૂર હોય જ. કારણ કે અનુમોદનાની ગંગોત્રી પોતે જ ગંગાસાગરના વિરાટ ફેલાવમાં ફેરવાઈ જતી હોય છે. તમારે માત્ર પ્રારંભ કરવાનો જ હોય છે. પછી હોય છે માત્ર બેકસીટ જર્ની. તમે અનાયાસ જ, આગળ વધ્યા કરો છો.
આ વૃદ્ધિને માટે સરસ ઉપમા સૂઝે છે : ‘તેલ બિંદુ જિમ વિસ્તરે જી, જળમાંહિ ભલી રીતિ...' પાણીમાં તેલનું ટીપું પડ્યું... મઝાની એ પૃષ્ઠભૂ પર એ તેલબિંદુ વિસ્તરતું જ જાય, વિસ્તરતું જ જાય.
અનુમોદના ધર્મની જળસપાટી.
અનુમોદકનો નાનકડો શુભ ભાવ...
હવે એ વિસ્તર્યા જ કરશે,
વિસ્તર્યા જ કરશે...
..
અનુમોદનાનો આ વેગ, સહજરૂપે જ કૃત્યના રૂપમાં ફેરવાય છે. જે આજ્ઞાધર્મની અનુમોદના થયેલી, એ જ આજ્ઞાધર્મ પાલનના રૂપમાં મળી જાય છે.
અનુમોદના ધર્મનું આ કેવું વિરાટ દાન !
સમ્યક્ પ્રતિપત્તિરૂપા અનુમોદના... અનુમોદના ધર્મને અપાયેલ ત્રીજું વિશેષણ. માત્ર પાલના (પ્રતિપત્તિ) નહિ, સમ્યક્ પાલના.
૮૬ મોક્ષ તમારી હથેળીમાં
આજ્ઞાપાલનમાં સમ્યક્ત્વ સચ્ચાઈ ક્યાંથી પ્રગટી ?
અનુમોદનાની ક્ષણોમાં જે હર્ષાશ્રુની ધારા વહી; તે ધારામાં જ સાધકનું વહેવાનું થાય છે. આ વહેવાની ક્ષણો તે જ સાધનાના સમ્યક્ત્વની, સાધનાના ઊંડાણની ક્ષણો.
પ્રભુએ સમવસરણમાં બેસી સાધના પ્રરૂપી. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીમાં એ સાધનાને આલેખી. ગુરુપરંપરા દ્વારા એ સાધના આપણી પાસે આવી.
સાધના આપનાર સદ્ગુરુ.
એ સાધનાને ઘૂંટાવનાર સદ્ગુરુ.
આમાં આપણું કૃત્ય કેટલું થશે ?
સાધનાનું એક પૃથક્કરણ યાદ આવે : ૯૯ ટકા પ્રભુની કૃપા / સદ્ગુરુની કૃપા. એક પ્રતિશત આપણો પ્રયત્ન.
આ પૃષ્ઠભૂ પર સાધનાને ઘૂંટનાર સાધકની આંખો હર્ષાશ્રુથી છલક છલક છલકાતી હશે. અનુમોદનાની ગંગા ચિત્તના બેઉ કાંઠાને સ્પર્શીને ચાલતી હશે. ‘પ્રભુની કેવી અનરાધાર કૃપા ! સદ્ગુરુની કેવી અદ્ભુત કૃપા.’
સાધના આપે ‘એ’.
સાધના ઘૂંટાવે ‘એ’.
ભીનાશનો દરિયો ૮૭