________________
અને પંખીઓ પાસે છે. માછલી અને માખી જેવી સિદ્ધિઓનો શો મતલબ ?'
ગુરુદયાળ મલ્લિકે એક સૂફી ફકીરને વિનંતી કરી : મને સિદ્ધિઓ મેળવવાનો માર્ગ બતાવો ! સૂફી ફકીરે કહ્યું : અમારા સૂફીઓમાં સિદ્ધિઓ મેળવવા માટે સેંકડો વરસોથી એક મૂળ મંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે : ગોસબંધ, ચશ્મબંધ, લલબંધ... અર્થાત્ કાન બંધ રાખો, આંખો બંધ રાખો અને હોઠ બંધ રાખો.
અંદરનો સૂક્ષ્મ ધ્વનિ સાંભળવો હોય તો કાન બંધ રાખવા, અંદરનો ઝળહળાટ જોવો હોય તો આંખો બંધ રાખવી અને શબ્દોમાં સાધ્ય અને સિદ્ધિને વેડફવાં ન હોય તો હોઠ બંધ રાખવા. જે સાધકને સ્વમાં સ્થિર થવું છે તેને અનુભવોની સ્પૃહા નથી હોતી. અભિવ્યક્તિનો મોહ નથી હોતો...
સાધનાનું પાંચમું ચરણ : કમળ જેવી અસંગદશા. ‘પઉમાઈનિદંસણા.’
કમળને પંકજ કહેવાય છે. કાદવમાં (પંકમાં) ઉત્પન્ન થાય છે કમળ. પાણીમાં એ ઊછરે છે. પણ કાદવ અને પાણી બેઉનો સંગ છોડીને તે અસંગ દશામાં વિહરે છે.
મુનિ કર્મરૂપી કાદવમાં ઊપજે છે. મતલબ કે કર્મના અનુસાર મનુષ્યયોનિમાં તેઓ આવ્યા. અને ભોગરૂપી જળમાં તેઓ ઊછરે છે. ઈન્દ્રિયોના ભોગો રૂપી પાણી... પરંતુ મુનિ આ બેઉથી ઉપર ઊઠી જાય છે. કર્મના ઉદયે કદાચ કુરૂપતા આદિ મળી હોય, તો તેને પણ ઓળંગી જાય છે તેઓ. અને ભોગોથી પણ ઉપર તેઓ ઊઠી જાય છે.
સિદ્ધિ નિરહંકાર દશા વડે શોભે છે.
રાબિયા અને હસન એક જગ્યાએ ભેગા થયા. હસને કહ્યું : ‘સામે જ તળાવ છે. ચાલો, તળાવની સપાટી પર ચટાઈ પાથરી ગોઠડી કરીએ.’ હસન પાસે પાણી પર, જમીન પર બેસાય તેવી રીતે બેસવાની વિદ્યા હતી.
હકીકતમાં, પરમ ભોગ, સ્વ-ભોગ એમની પાસે જ છે ને !
રાબિયાએ કહ્યું : ‘એ કરતાં, ચાલો ને, હવામાં ઊડતાં ઊડતાં વાતો કરીએ.” રાબિયા હવામાં ઊડી શકતા. હસન ઝંખવાણા પડી ગયા. એમને હવામાં ઊડતાં આવડતું નહોતું.
અસંગદશા.
પરનો અસંગ બરોબર પરમનો સંગ. પરના સંગથી શું મળ્યું અને શું મળી શકે ? અત્યાર સુધી રહ્યા પરના સંગમાં.
ભગવાને એક મઝાની સાધના આપી. શરીર પરનો સંગ કરે; કરી લે; મન પરમના જ સંગમાં હોય. મુનિરાજ વાપરતા હોય ત્યારે
રાબિયાએ હસતાં હસતાં કહ્યું : ‘મિત્ર ! તમારી પાસે જે સિદ્ધિ છે, તે દરેક માછલી પાસે છે. મારી પાસે છે, તે માખી
૩૮ % મોક્ષ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી # ૩૯