SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः तत्त्वसाक्षात्कारोपयोगः । अनुयोगितया प्रतियोगितया चात्मैव तत्त्वतो ज्ञेय इत्याचार्यग्रन्थस्याप्यत एव सङ्गतिः । मोक्षकारणन्तु परमात्मसाक्षात्कार एव । (३७) न च योगजधर्मस्य विश्वभासकतया तज्जन्यपरमात्मसाक्षात्कारे विश्वेषामेव भानसम्भवे 'तमेव विदित्वा' इत्यत्र एवकारबोध्यस्य तदितरविषयकत्व પ્રતિયોગી તરીકે તો તાત્ત્વિક રીતે આત્મા જ જાણવા યોગ્ય છે. એ આચાર્યગ્રંથની સંગતિ પણ આ રીતે જ થાય છે. પણ મોક્ષનું કારણ તો પરમાત્માનો સાક્ષાત્કાર જ છે. (૩૭) શબ્દાર્થ –પ્રશ્ન :-યોગજ ધર્મ વિશ્વભાસક છે તેથી યોગજ ધર્મથી જન્ય ઈશ્વરસાક્ષાત્કારમાં દરેકનું ભાન સંભવે છે. આવું બનતું હોય તો તમેવ વિવિત્વ આ શ્રુતિમાં ઘટાભાવાદિ) નિશ્ચય નાશક છે. આમ આત્મામાં શરીરનો અભેદ છે આવા સંસ્કાર પ્રત્યે શરીરાદિ ભેદનો સાક્ષાત્કાર નાશકરૂપે કલ્પવો આવશ્યક છે. સામાન્યથી વિપરીતજ્ઞાનને નાશક માની શકાતું નથી. આ રીતે અતિરિક્ત નાશ્યનાશકભાવ જીવાત્મસાક્ષાત્કારવાદમાં પણ છે. આ મતે જે અવશ્યકલ્પનીય છે તેના સ્થળે અમે ઈશ્વરસાક્ષાત્કાર માનીએ છીએ તેથી ગૌરવને અવકાશ નથી. પ્રશ્ન :- ઉપરોક્ત રીતે સંગતિ કરવામાં ગૌરવ નથી છતાં પણ સર્વત્ર સંસ્કારનો નાશ વિપરીતજ્ઞાન દ્વારા જ થાય છે એવા ઉદાહરણ મળે છે. ઈશ્વરસાક્ષાત્કારથી સંસ્કારનો નાશ થાય છે એવું એક પણ ઉદાહરણ જોવા મળતું નથી. ઈશ્વરસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનવામાં આ મોટી આપત્તિ છે. તેથી કેચિસ્તુકાર સસ્તુ વી કહીને બીજી રીતે સંગતિ કરે છે. જવાબ :-“નરોડ' ઇત્યાદિ પ્રતીતિ આત્મા અને શરીરના અભેદનું અવગાહન કરે છે. આવા જ્ઞાનથી જન્મેલી દેહાત્માની અભેદ વાસનાના નાશ માટે આત્મસાક્ષાત્કાર જરૂરી છે. માત્મા તેમનઃ આ આત્મસાક્ષાત્કાર છે. આ પ્રતીતિમાં આત્મા પદથી જીવાત્મા લેવો કે પરમાત્મા એ મતભેદનો મુદ્દો છે. બંને લઈ શકાય છે. સ્વાત્મસાક્ષાત્કાર તે તે સંસ્કારોનો નાશ કરે છે તે માટે તેને માનવો જરૂરી છે. ઉપરોક્ત પ્રતીતિ સંબંધરૂપે સંસ્કારનાશક બને છે. સંબંધના અનુયોગી તરીકે સ્વાત્મસાક્ષાત્કારને ઉપયોગી માની શકાય પણ પ્રતિયોગી તરીકે કેવળ આત્મા જ જોય છે. સ્વાત્મા નહીં. આમ માનવાથી ઉદયનાચાર્યે શ્લોકમાં ઈશ્વરાનુમાનને મનનમાં સમાવ્યું છે તેની પણ સંગતિ થઈ જશે. કારણ કે સંબંધના પ્રતિયોગી તરીકે આત્મામાં ઈશ્વરાત્મા પણ સમાય છે. આમ સ્વાત્મતત્ત્વસાક્ષાત્કાર અનુયોગી તરીકે વાસનાનાશક છે જ્યારે મોક્ષનું કારણ તો ઈશ્વરસાક્ષાત્કાર જ છે. (૩૭) વિવરણ –પરમાત્મસાક્ષાત્કારવાદીમતે દરેક શ્રુતિમાં આત્મા પદનો અર્થ પરમાત્મા જ અભિપ્રેત છે. જીવાત્મસાક્ષાત્કારવાદી તેની સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. પ્રશ્ન :-ઈશ્વરનો સાક્ષાત્કાર યોગજ ધર્મ રૂપ પ્રત્યાત્તિથી થાય છે તેમ કહ્યું. યોગજ પ્રત્યાત્તિથી વિશ્વના તમામ પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે. ઈશ્વરસાક્ષાત્કાર યોગજ ધર્મ જન્ય હોવાથી તેમાં પણ સકલ પદાર્થોનું પ્રત્યક્ષ થશે જ. તો ‘તમેવ વિદ્વિત્વતિમૃત્યુનેતિ, નાન્ય: પન્થા વિદ્યતે નાય' આ શ્રુતિનો બાધ થશે. આ શ્રુતિનો અર્થ છે– તેને જ જાણીને મોક્ષ પામે છે, મોક્ષ માટે બીજો માર્ગ નથી.' અહીં તમ્ પદથી ઈશ્વરાત્મા અભિપ્રેત છે. તેની પછી આવેલો પવાર અન્યયોગવ્યવચ્છેદ દર્શાવે છે. એટલે ઈશ્વર સિવાયના
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy