SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः ( २९ ) मोक्षसुखबोधकानन्दमित्यादिश्रुतिविरोधभयेन मुक्तात्मनि विद्यमानेऽपि सुखे तद्वृत्तितानवच्छेदको भयत्वावच्छिन्ने मुक्तात्मनिष्ठसम्बन्धप्रतियोगित्वा ५४ (૨૯) શબ્દાર્થ :–મોક્ષના સુખની બોધક ‘આનત્વમ્' ઇત્યાદિ શ્રુતિના વિરોધભયથી મુક્તાત્મામાં સુખ વિદ્યમાન હોવા છતાં સુખનિષ્ઠ વૃત્તિતાના અનવચ્છેદક એવા ઉભયત્વ ધર્માવચ્છિન્ન સુખમાં મુક્તાત્મનિષ્ઠ સંબંધના પ્રતિયોગિત્વનો અભાવ સ્વીકારવામાં આવે છે. અને પ્રશ્ન :—અહીં સ્પૃશ્ ધાતુ સંબંધાર્થક નથી પણ સત્તાર્થક છે. અસ્ ધાતુ પણ સત્તાર્થક છે. ઘટપટૌ ન સ્ત: આ પ્રતીતિમાં ઘટપટોભયાભાવનું અસ્તિત્વ જણાય છે. વાક્યરચનાના નિયમ મુજબ આખ્યાત વિનાનું વાક્ય ન હોય. અહીં ‘અસ્તિત્વ’ આખ્યાતનો અર્થ છે. તેનો અન્વય નગ્ ના અર્થ અભાવમાં છે. નક્ જે પ્રાતિપાદિક સાથે અન્વિત હોય તે પ્રાતિપાદિકનું વચન આખ્યાતનું બને. અહીં ઘટપટૌ દ્વિવચન છે તેથી આખ્યાત દ્વિવચન છે. ઘૃણ્ ધાતુનો સત્તા અર્થ કરવાથી મુક્તિમાં પ્રિયાપ્રિયઉભયાભાવનું અસ્તિત્વ છે આવો અર્થ થઈ જશે અને આખ્યાતના દ્વિવચનની પણ સંગતિ થઈ જશે. જવાબ :–સ્પૃશ્ ધાતુનો સત્તા અર્થ માનવાથી તે અકર્મક થશે. અસ્ ધાતુ અકર્મક છે તો શ્રુતિમાં અશરીર અહીં કર્માર્થક દ્વિતીયા છે તેની સંગતિ નહીં થાય. પ્રશ્ન :—યત્ ધાતુ અકર્મક છે પણ યત્ન અર્થમાં ગ્ ધાતુ સકર્મક છે. તેમ અસ્ ધાતુ ભલે અકર્મક હોય સત્તાર્થક સ્પૃશ્ ધાતુ સકર્મક માનવામાં કોઈ આપત્તિ નથી. જવાબ ઃ—નન્દ્વારા પ્રાતિપાદિક અર્થના અભાવની પ્રતીતિ કરવાની હોય ત્યારે અભાવના અનુયોગિનું(અધિકરણ) વાચક પદ સપ્તમી વિભક્તિમાં જોઈએ પટપર્ટી 7 સ્ત: અહીં અભાવનું અનુયોગી ભૂતલ છે તો તે સપ્તમી વિભક્તિમાં હશે. પ્રસ્તુત સ્થળે અનુયોગી મુક્તાત્માનું વાચકપદ અશરીર દ્વિતીયામાં છે. સપ્તમીમાં નથી માટે સ્પૃશ્ ધાતુનો સત્તા અર્થ કરીને પણ સંગતિ થતી નથી. આમ, શરીર આ શ્રુતિની સુખદુ:ખ ઉભયાભાવ દર્શાવી સંગતિ કરી શકતી નથી. આ શ્રુતિ મુક્તિમાં સુખસંબંધનો અભાવ બતાવે છે માટે નિત્યસુખસાક્ષાત્કાર મુક્તિ છે એ ભટ્ટની વાત ખોટી છે. અથ...ઇત્યાદિથી પ્રારંભાયેલો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે. (૨૯) વિવરણ :–(મોક્ષમાં સુખ માનતા ભટ્ટનો ઉત્તરપક્ષ) ઉપનિષદમાં શ્રુતિ છે—‘નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ બ્રહ્મને આનંદરૂપ માને છે. એટલે કે મુક્તિમાં સુખ હોય છે. મુક્તિમાં દુઃખના અભાવની જેમ સુખનો અભાવ પણ માનીએ તો આ શ્રુતિનો વિરોધ આવે. માટે જ મોક્ષમાં સુખ માનવામાં આવે છે. આ શ્રુતિના અર્થને આધારે જ ‘અશરીર’ એ શ્રુતિનું અર્થઘટન થવું જોઈએ. તે આ રીતે થઈ શકે કે—મોક્ષમાં સુખ છે. ઘૃણ્ ધાતુનો અર્થ સંબંધ છે. સંબંધની અનુયોગિતા મુક્તાત્મામાં છે. સંબંધની પ્રતિયોગિતાનો અભાવ આ શ્રુતિથી પ્રતિપાદિત કરવો છે. પ્રતિયોગિતાનો અભાવ પ્રિયાપ્રિય ઉભયમાં છે. મુક્તાત્મામાં સુખ છે. તેથી સુખમાં વૃત્તિતા છે. સુખનિષ્ઠ વૃત્તિતા સુખત્વાવચ્છિન્ના છે પણ ઉભયત્વાવચ્છિન્ના નથી. આમ ઉભયત્વ અવૃત્તિતાનું અનવચ્છેદક છે. ઉભયત્વાવચ્છિન્ન સુખમાં તાદેશ સંબંધની પ્રતિયોગિતા નથી. આ રીતે શ્રુતિના અર્થની સંગતિ કરવી. આ અર્થઘટન કરવામાં પૂર્વપક્ષે આપત્તિ દર્શાવી હતી કે—‘પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ સંભવતો નથી’– તે પણ ખોટી છે. કારણ કે વ ાતિ ન ઢૌ આવો વ્યવહાર થાય છે અને પ્રામાણિક ગણાય છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy