SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः ४९ छान्दसं नपुंसकम्, ब्रह्मणो रूपमात्मनो धर्मः, मोक्षे-मोक्षसमये प्रतिष्ठितं साक्षात्कृतमित्यर्थः । एतादृशप्रमाणेन मोक्षकालीनसाक्षात्कारविषयसुखसिद्धौ लाघवेन तस्योत्पाद-विनाशाभावसिद्धौ नित्यतायां पर्यवसानात् । (२६) केचित्तु 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' इति श्रुतिः आनन्दविशिष्टस्यात्मनो नित्यतां बोधयति विशिष्टान्वयपरताया औत्सर्गिकतया असति बाधके त्यागायोगादिति विशेषणस्यानन्दस्य नित्यत्वे सैव प्रमाणमित्याहुः । આત્માનો ધર્મ છે. મોક્ષે એટલે મોક્ષ સમયે પ્રતિષ્ઠિત એટલે સાક્ષાત્કારનો વિષય. આવા પ્રમાણથી મોક્ષકાલીન સાક્ષાત્કારનો વિષય સુખ સિદ્ધ થતાં લાઘવથી તેના ઉત્પાદક વિનાશ નથી થતા એવું સિદ્ધ થાય છે આમ તે સુખ નિત્ય બની રહે છે. (૨૬) શબ્દાર્થ –કેટલાક એમ કહે છે કે “નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ આનંદવિશિષ્ટ આત્માની નિત્યતાનો બોધ કરાવે છે. શ્રુતિથી વિશિષ્ટનો અન્વય ઉત્સર્ગથી પ્રાપ્ત છે. તેનો બાધ ન હોય તો ત્યાગ કરી શકાતો નથી. તેથી આનંદ એ વિશેષણની નિત્યતામાં તે જ પ્રમાણ છે–તેવું કહે છે. પ્રશ્ન :–નિત્ય સુખનો પ્રત્યક્ષ અનુભવ નથી તો તેના હોવામાં પ્રમાણ શું છે? જવાબ :-માનન્દ્ર વૃક્ષો રૂપ તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિતમ્ આવી શ્રુતિઓ નિત્ય સુખમાં પ્રમાણ છે. અહીં આનંદ પદ સુખનું વાચક છે. પ્રશ્ન:સુખ આત્માનો ધર્મ હોય તો અહીં આનંદ પદને પુલ્લિગ થવું જોઈએ. નપુંસકલિંગ નહીં. જવાબ :-છસિ વદુતમ્ એ સૂત્રથી અહીં નપુંસકલિંગ છે. ‘સુખ આત્માનો ધર્મ છે મોક્ષના સમયે તેનો સાક્ષાત્કાર થાય છે.” આ શ્રુતિનો અર્થ છે. સુખ સિદ્ધ થતા તેની ઉત્પત્તિ અને વિનાશની સામગ્રી કલ્પવી તેમાં ગૌરવ છે તેથી લાઘવથી સુખ નિત્ય જ માનવામાં આવે છે. આમ નિત્ય સુખનો સાક્ષાત્કાર મોક્ષ છે એ વાત સિદ્ધ થાય છે. (૨૬) વિવરણ –નિત્ય સુખની બાબતમાં મીમાંસકોનો મત ઉપસ્થિત કરે છે. ‘નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ નિત્ય સુખમાં પ્રમાણ છે. આ વાક્ય ઘટિત સામાન્ય સામગ્રી માનઃ પદનો અર્થ ‘આનંદ વિશિષ્ટ’ જણાવે છે. માનદ્ પદનો ‘આનંદરૂપ” એવો અર્થ અહીં અભિપ્રેત નથી. કારણ કે-વાયઘટક વિશેષણપદો ઉત્સર્ગથી ‘વિશિષ્ટ’ અર્થને જણાવે છે–એ નિયમ છે. વિશિષ્ટ અર્થનો બાધ થતો હોય તો જ તેનો ત્યાગ થાય છે, અન્યથા નહીં. આથી અહીં માનદ્ પદનો ‘આનંદ વિશિષ્ટ’ અર્થ કરવામાં કોઈ બાધ નથી તેથી તેનો ત્યાગ થઈ શકે નહીં. માનદ્ પદનો “આનંદ વિશિષ્ટ’ અર્થ ઉત્સર્ગપ્રાપ્ત છે. આનંદ વિશિષ્ટ બ્રહ્મ નિત્ય છે તેથી આનંદ પણ નિત્ય છે. આ શ્રુતિ જ આત્માને નિત્ય જણાવે છે તેથી તગત આનંદ નિત્ય છે તે પણ તેનાથી જ સિદ્ધ થાય છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy