SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः (२३) बुद्धितत्त्वस्यानादित्वे विनाशानुपपत्तेः भावनाशे जन्यत्वेन प्रतियोगिनो हेतुत्वात् । सादित्वे च बुद्धिधर्मादृष्टप्रवाहस्यापि सादितया प्रथममदृष्टवैचित्र्यं भोगादिकार्यवैचित्र्यञ्च न स्यात् । न चादृष्टजनककृतिवैचित्र्यम्, प्रथमतः कृति - वैचित्र्यप्रयोजकस्यैव दुर्लभत्वात् । तस्माददृष्टसमवायिनो नित्यत्वमेव अनादिविचित्रादृष्टप्रवाहात् पुंसां भोगवैचित्र्यमिति । ४६ (૨૩) શબ્દાર્થ :—આ મત બરાબર નથી, કારણ કે—બુદ્ધિતત્ત્વને અનાદિ માનીએ તો તેના વિનાશની ઉપપત્તિ થતી નથી. કારણ કે—ભાવ પદાર્થના નાશમાં પ્રતિયોગી જન્યત્વેન કારણ છે. બુદ્ધિતત્ત્વને સાદિ માનીએ તો બુદ્ધિનો ધર્મ-અદષ્ટનો પ્રવાહ પણ સાદિ માનવો પડે. તો પ્રથમથી જ અદૃષ્ટની વિચિત્રતા અને તેના કાર્ય-ભોગ વગેરેની વિચિત્રતા નહીં રહે. અદૃષ્ટની જનક કૃતિમાં વૈચિત્ર્ય માનવાથી પણ આ આપત્તિ ટળશે નહીં. કારણ કે કૃતિમાં વૈચિત્ર્યનું પ્રયોજક પહેલેથી જ જોવા મળે તે દુર્લભ છે. તેથી અદૃષ્ટનું સમવાયથી અધિકરણ નિત્ય જ છે. અનાદિથી અદૃષ્ટનો વિચિત્ર પ્રવાહ ચાલે છે તેને કારણે પુરુષોમાં ભોગની વિવિધતા જોવા મળે છે. આપત્તિ નથી. પ્રશ્ન :–આશ્રયના નાશને આશ્રિતનાશનું કારણ કલ્પવું પડે છે એ ગૌરવ યત્તુકાર મતે છે. જવાબ :–આશ્રયનાશની આશ્રિત નાશ પ્રત્યેની કારણતા ઘટાદિમાં તૃપ્ત છે, કલ્પનીય નથી. તેથી અદૃષ્ટાદિના નાશમાં બુદ્ધિનાશની કારણતા અધિક હોવાનું ગૌરવ નથી. આ રીતે, યત્તુકારના મત પ્રમાણે જીવરૂપ ઉપાધિનો વિગમ મોક્ષરૂપ છે એ સ્થાપિત થયું. (૨૩) વિવરણ :–યત્તુકારના પક્ષનું સમર્થન કરતા પૂર્વપક્ષનું ઐયાયિક ખંડન કરે છે. ‘તત્ત્વજ્ઞાનથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિ અદૃષ્ટ, વાસના વગેરેનો આશ્રય છે. આશ્રયના નાશથી આશ્રિતનો નાશ થાય એ નિયમથી બુદ્ધિના નાશથી અદૃષ્ટાદિનો નાશ થાય' આ યત્તુકારનો મત છે. આ મતમાં અર્દષ્ટનાશનું કારણ તત્ત્વજ્ઞાન નથી, પણ બુદ્ધિનાશ છે. નૈયાયિક તેની સામે પ્રશ્ન ઉઠાવે છે કે—બુદ્ધિ તત્ત્વ અનાદિ છે કે સાદિ ? બુદ્ધિતત્ત્વ જો અનાદિ હોય તો તેનો નાશ થઈ શકે નહીં. ભાવભૂત પદાર્થ જો અનાદિ હોય તો તે નિત્ય હોય છે. જે ભાવભૂત પદાર્થ નાશ પામે છે તે નિયમતઃ જન્ય જ હોય. બુદ્ધિ જો નાશ પામે છે તો તે જન્ય જ માનવી જોઈએ, તેને અનાદિ માની શકાશે નહીં. ભાવભૂત પદાર્થના નાશમાં પ્રતિયોગી કારણ છે. ‘ધ્વંસં પ્રતિ પ્રતિયોનિ: હેતુત્વમ્' ધ્વંસની પ્રત્યે ભાવભૂત પ્રતિયોગીની કારણતા જત્વેન છે. એટલે જન્ય ભાવભૂત પદાર્થ જ ધ્વંસનો પ્રતિયોગી બની શકે છે. આ કારણતા જત્વેન ન માનતા કેવળ પ્રતિયોગિત્વેન માનીએ તો ન્યાયમતે ગગનાદિમાં અને વેદાંતમતે બ્રહ્મમાં વ્યભિચાર આવશે. ગગન અને બ્રહ્મ નિત્ય છે ‘નં ન’ ‘બ્રહ્મ ન’, ઇત્યાદિ પ્રતીતિ સાક્ષિક અભાવીય પ્રતિયોગિતા તેમનામાં છે. તે ભાવભૂત છે છતાં તેમનો નાશ થતો નથી માટે વ્હારળસત્ત્વાર્યામાવરૂપ વ્યભિચાર થશે. પ્રતિયોગીને જન્યત્વેન કારણ માનવાથી વ્યભિચાર ટળી જશે, કારણ કે—ગગન-બ્રહ્માદિ જન્ય નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy