________________
४२
मुक्तिवादः
च दुःखात्यन्तोच्छेदानुरोधात्तन्नाशोपगमः तत्सत्त्वेऽप्यदृष्टोच्छेदादेव दुःखप्रवाहविच्छेदसम्भवात् । न चाश्रयनाशं विना अशेषादृष्टनाश एवानुपपन्नः, आश्रयसत्त्वेऽपि समानाधिकरणतत्त्वज्ञानादेवाशेषादृष्टनाशसम्भवात् । भवन्मतेऽप्यविद्यानाशे तद्धेतुताया
સુખદુઃખનો આશ્રય હોય તો તેના નાશમાં કોઈ પ્રમાણ નથી.
પ્રશ્ન ઃ—દુઃખનો આત્યંતિક ઉચ્છેદ થાય છે તેના અનુરોધથી બુદ્ધિનો નાશ સ્વીકારવો રહ્યો. જવાબ :–આ વાત યોગ્ય નથી કારણ કે બુદ્ધિ હોવા છતાં અદૃષ્ટના નાશથી જ દુઃખ પરંપરાનો વિચ્છેદ સંભવી શકે છે.
પ્રશ્ન :–આશ્રયના (બુદ્ધિના) નાશ વિના અદૃષ્ટનો નાશ થઈ શકતો નથી.
જવાબ :—આશ્રયભૂત બુદ્ધિ હોવા છતાં સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનથી જ તમામ અદષ્ટનો નાશ સંભવે છે. તમારા મતે પણ અવિદ્યાના નાશમાં અર્દષ્ટનાશની કારણતા આવશ્યક છે. અદૃષ્ટ
અભિપ્રેત છે, બુદ્ધિ અભિમત નથી. સાંખ્યદર્શન બુદ્ધિને સુખદુઃખાદિનો આશ્રય માને છે પણ તેનું ખંડન અનેક સ્થળે થઈ ચૂક્યું છે. સુખદુઃખાદિ આત્માના વિશેષ ગુણો છે. તેનું અધિકરણ આત્મા નિત્ય છે. બુદ્ધિ સુખદુઃખનો આશ્રય હોય તો તેનો વિનાશ થાય છે—એ વાતમાં કોઈ પ્રમાણ નથી. અથવા બુદ્ધિને સુખદુઃખનો આશ્રય માની તેનો નાશ માનવો—આ વાતમાં કોઈ પ્રમાણ નથી. તેથી બુદ્ધિના નાશથી સુખદુઃખનો નાશ થાય છે આ વાત યુક્તિરહિત છે.
પ્રશ્ન :–બુદ્ધિના નાશ વિના દુઃખનો આત્યંતિક નાશ સમજાવી શકાતો નથી—આ જ પ્રમાણ છે. કાર્યથી કારણનું અનુમાન થાય છે. આત્યંતિક દુઃખોચ્છેદ રૂપ કાર્ય દ્વારા બુદ્ધિના નાશનું અનુમાન થઈ શકે. જવાબ :–દુ:ખના આત્યંતિક ઉચ્છેદનો નિર્વાહ કરવા બુદ્ધિનાશને કારણ માનવાની જરૂર નથી. કારણ કે બુદ્ધિનાશ દુઃખના આત્યંતિક ઉચ્છેદમાં અન્યથાસિદ્ધ છે. બુદ્ધિ હોવાં છતાં અદૃષ્ટના નાશથી દુઃખનો આત્યંતિક નાશ થઈ શકે છે. માટે ઉપરોક્ત તર્ક અપ્રયોજક છે. કેમ કે તેના દ્વારા વ્યભિચારની શંકાનું નિવર્તન થતું નથી.
પ્રશ્ન :–આશ્રયના નાશ વિના સંપૂર્ણ રીતે અદૃષ્ટનો નાશ થતો નથી આ તર્ક જ ઉપરોક્ત અનુમાનનો પ્રયોજક છે. અશેષઅદૃષ્ટનાશ જ આત્યંતિક દુઃખોચ્છેદનું કારણ છે.
જવાબ :–અશેષ અદષ્ટનો નાશ આશ્રયભૂત બુદ્ધિના નાશથી થાય છે તેવું નથી. બુદ્ધિ હોવા છતાં પણ દુ:ખના સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનથી જ અશેષ અદૃષ્ટનો નાશ સંભવી શકે છે.
પ્રશ્ન :–અશેષ અદષ્ટ નાશનું કારણ આશ્રયભૂત બુદ્ધિનાશ છે કે તત્ત્વજ્ઞાન છે ? તેનું વિનિગમક
કોણ છે ?
જવાબ :—બંને મતમાં જે આવશ્યક હોય તે કારણ બને તે વિનિગમક યુક્તિ બને. યત્તુકાર અશેષઅદષ્ટનાશ પ્રત્યે આશ્રયભૂત બુદ્ધિનાશને કારણ માને છે તેમ છતાં તેને તત્ત્વજ્ઞાનને અવિદ્યાનાશમાં કારણ માન્યું જ છે. જ્યારે અન્યત્ર (અવિદ્યાનાશમાં) તત્ત્વજ્ઞાનની કારણતા સ્વીકારેલી છે તો અહીં પણ તેને જ કારણ માની લેવામાં ઔચિત્ય છે.