SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः मोहातीतो विशुद्धो मुनिभिरभिहितो मोहसङ्क्रान्तमूर्तिः साक्षी स्वान्ते तदुत्थे प्रतिफलितवपुर्गीयतेऽसौ प्रमाता ॥ वृत्त्यारूढः प्रमाणं फलमपि धिषणावृत्तिसंव्याप्तचैत्योपाधिर्मोहोत्थशब्दप्रमुखविषयगः स्यात्प्रमेयः परात्मा ॥ इति । ३७ જવાબ ઃ—જેની સ્ફૂર્તિ સ્વતઃ જ છે એ સ્વપ્રકાશ છે. જડાત્મક જગતની સ્ફૂર્તિ સ્વતઃ નથી પણ ફળને કારણે છે. વૃત્તિના વ્યાપ્ય વિષયમાં ચૈતન્યનું પ્રતિબિંબ એ જ પારિભાષિક ફળ છે. કહ્યું છે ‘જે મોહાતીત છે તે વિશુદ્ધ છે અને મોહથી સંક્રાંત સ્વરૂપવાળો તે સાક્ષી છે. મોહથી ઉત્પન્ન થયેલ અંતઃકરણમાં જે પ્રતિફલિત થાય છે તે પરાત્મા પ્રમાતા છે. જે વૃત્તિપર આરૂઢ થાય છે તે પરાત્મા પ્રમાણ છે. બુદ્ધિ વૃત્તિથી વ્યાપ્ત ચૈતન્ય ઉપાધિવાળો પરાત્મા ફળ છે. મોહથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે વિષયોમાં રહેલો. પરાત્મા પ્રમેય છે. પ્રશ્ન :–વેદાંત મતે બ્રહ્મ સ્વપ્રકાશ ચૈતન્ય છે. સ્વ-પ્રકાશ એટલે જેને પોતાના જ્ઞાન માટે અન્ય કોઈની જરૂર ન પડે તે. બ્રહ્મસંવેદનને જો અંતઃકરણવૃત્તિ રૂપ માનીએ તો ઉપરોક્ત સ્વપ્રકાશ સિદ્ધાંતનો ભંગ થાય છે કારણ કે વૃત્તિ સ્વપ્રકાશ નથી. એક વૃત્તિ બીજી વૃત્તિથી ગ્રાહ્ય છે પણ વૃત્તિ સ્વથી ગ્રાહ્ય નથી માટે સ્વપ્રકાશ નથી. જવાબ :–સ્વપ્રકાશપદનો અર્થ પ્રશ્નમાં કહ્યો છે તે નથી, જેની સ્ફૂર્તિ સ્વથી જ છે બીજાથી નથી તેને સ્વપ્રકાશ કહેવાય. અહીં ‘બીજાથી’ શબ્દનો અર્થ-‘પ્રમાતૃ ચૈતન્યથી ભિન્ન’ એ છે. જડાત્મક પ્રપંચ સ્વપ્રકાશ નથી. તેનું જ્ઞાન ચિત્પ્રતિબિંબ રૂપ ફળથી થાય છે. જ્યારે બ્રહ્મને પોતાના જ્ઞાન માટે ફળની અપેક્ષા નથી માટે બ્રહ્મ સ્વપ્રકાશ છે. બ્રહ્મસંવેદન અંતઃકરણવૃત્તિરૂપ હોવા છતાં તેના સ્વપ્રકાશ હોવામાં કોઈ વિરોધ નથી. જેમ ન્યાયમતે દ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષમાં આલોકસંયોગ કારણ છે.આલોક સ્વયં એક દ્રવ્ય છે છતાં તેના ચાક્ષુષપ્રત્યક્ષમાં આલોકસંયોગની જરૂર નથી. આલોકનું ચાક્ષુષપ્રત્યક્ષ જેમ સ્વતઃ થાય છે તેમ બ્રહ્મની સ્ફૂર્તિ સ્વતઃ થાય છે. પ્રશ્ન :–જડાત્મક પ્રપંચની સ્ફૂર્તિ ફળથી થાય છે તેમ કહ્યું. તે ફળ શું છે ? જવાબ :–વૃત્તિ વિષયને વ્યાપે છે. વ્યાપવું એટલે વિષયાકાર ધારણ કરવો. ઈંદ્રિય રૂપી નલિકા દ્વારા વૃત્તિ વિષયાકાર ધારણ કરે છે. તેનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે. વૃત્તિમાં વિષય બનતો ઘટ વૃત્તિવ્યાપ્ય કહેવાય. તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય જ જ્ઞાનપ્રક્રિયાનું ‘ફળ’ છે. આ વાતને સ્પષ્ટ કરતા શારીરક આચાર્ય કહે છે કે—‘અવિદ્યાથી રહિત પરાત્મા વિશુદ્ધ બ્રહ્મ છે. અવિદ્યામાં જેનું પ્રતિબિંબ પડે છે તે સાક્ષી અને સર્વપ્રપંચના સર્જક પરાત્મા ઈશ્વર છે. (માયોપહિત ચૈતન્ય) અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અંતઃકરણમાં પ્રતિબિંબિત પરાત્મા પ્રમાતા છે. (અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય) તે જ જીવ અર્થાત્ પ્રમાતા જ્યારે અંતઃકરણના વૃત્તિરૂપ પરિણામથી યુક્ત બને ત્યારે પ્રમાણ કહેવાય. વૃત્તિથી વ્યાપ્ય વિષયમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય ફળ=પ્રમા=પ્રમિતિ છે. અજ્ઞાનને કારણે જીવને જ ઘટાદિ સંજ્ઞા મળે છે. આવી સંજ્ઞા ધરાવતા પરાત્માને પ્રમેય કહેવાય છે.’ આમ જડાત્મક પ્રપંચની સ્ફૂર્તિ જ્ઞાનથી થાય છે. બ્રહ્મની સ્ફૂર્તિ જ્ઞાનથી થતી નથી, સ્વતઃ જ થાય
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy