________________
मुक्तिवादः
१३
निर्वाह इति चेत्, एवमपि न तादृशधर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः । चरमदुःखध्वंसदशायां तद्वत्यात्मनि दुःखजनकाधर्मरूपकारणविरहेण दुःखानुत्पत्त्याऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुःखाऽसमानकालीनत्वनिर्वाहात् । अर्थसमाज
અવાંતર પૂર્વપક્ષ :–દુઃખધ્વસના અધિકરણમાં રહેતા દુઃખપ્રાગભાવનું અસમાનકાલીનત્વ રૂપ આત્યંતિકત્વથી વિશેષિત દુઃખધ્વંસત્વ અપવર્ગસ્વરૂપ છે. તદવચ્છિન્ન અપવર્ગનો તત્ત્વજ્ઞાન સિવાયના કારણથી નિર્વાહ થતો નથી માટે તત્ત્વજ્ઞાન જરૂરી છે.
(અવાં પૂ.પ.ને) જવાબ –તેમ છતાં તે વિશેષણથી વિશેષિત અપવર્ગવ નામક ધર્મ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનો અવચ્છેદક બની શકતો નથી. કારણ કે જ્યારે આત્મામાં ચરમ દુ:ખનો ધ્વંસ થાય છે ત્યારે દુઃખનું જનક અધર્મરૂપ કારણ હોતું નથી. આમ કરણાભાવથી જ દુઃખની ઉત્પત્તિ થતી નથી. આ રીતે દુઃખધ્વંસસમાનાધિકરણ દુઃખના અસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ જાય છે. અર્થસમાજરૂપ બાધકગ્રસ્ત ધર્મ કાર્યતાનો અવચ્છેદક બની શકે નહીં. તેમ ન માનીએ
નથી તેથી સ્વાનંતરોત્પન્ન દુઃખથી તે નાશ્ય હોય છે તે કહી શકાતું નથી. આત્યંતિક દુઃખધ્વસનું કારણ તત્ત્વજ્ઞાન સિવાય કોઈ નથી. એ માન્યા વિના છૂટકો નથી.
પૂર્વપક્ષ અવાંતર શંકા ગ્રંથનો ઉત્તર આપે છે કે–ઉપર કહ્યું તેમ દુઃખધ્વંસત્વને આત્યંતિકત્વથી વિશેષિત કરવા છતાં પણ તે તત્ત્વજ્ઞાનનિષ્ઠકારણતા નિરૂપિત કાર્યતાનો અવચ્છેદક ધર્મ થઈ શકતો નથી. અર્થસમાજ રૂપ દોષ તેમાં બાધક બને છે. અર્થસમાજ નામના બાધકથી ગ્રસ્ત ધર્મ કાર્યતાનો અવચ્છેદક બની શકતો નથી. કાર્યતાવચ્છેદક ધર્મ વિશિષ્ટ હોય તે સ્થળે તદ્ઘટક વિશેષણ ભાગ અભિપ્રેત કારણસામગ્રીથી અન્ય ક્લપ્ત કારણ સામગ્રી દ્વારા સિદ્ધ હોય તો અર્થસમાજ બાધક બને છે. આવા સ્થળે કારણસામગ્રી અર્થસમાજસિદ્ધ કારણસામગ્રી કહેવાય છે. સ્પષ્ટ છે કે કાર્યતાવચ્છેદકઘટક વિશેષણ જો પ્રથમતઃ જ અન્ય સામગ્રી દ્વારા સિદ્ધ હોય તો પ્રસ્તુત કારણ સામગ્રી તેની ઉત્પાદક કેવી રીતે બની શકે ? દાખલા તરીકે પટવિશિષ્ટઘટત્વ કાર્યતાવચ્છેદક છે. તેમાં પટરૂપ વિશેષણની સામગ્રી ઘટની દંડાદિ સામગ્રીથી ભિન્ન (અન્ય) છે. તે સામગ્રીની કારણતા પૂર્વકલુપ્ત છે. તેથી પટવિશિષ્ટઘટરૂપ કાર્ય માટે દંડાદિ કાર્યસામગ્રી અર્થસમાજગ્રસ્ત બને છે, આ કારણે દંડાદિનિષ્ઠ કારણતા નિરૂપિત કાર્યતાનો અવચ્છેદક ધર્મ પટવિશિષ્ટઘટત્વ બની શક્તો નથી. પ્રસ્તુત સ્થળે કાર્યતાવચ્છેદક દુઃખધ્વંસત્વ ધર્મ આત્યંતિકત્વથી વિશેષિત છે. સ્વસમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ-અસમાનકાલીનત્વ આત્યંતિકત્વ છે. તાદેશ અસમાનકાલીનત્વ રૂપ વિશેષણ પ્રસ્તુત (દુ:ખધ્વસ) કાર્યની સામગ્રીથી ભિન્ન સામગ્રી દ્વારા સિદ્ધ છે. આત્મામાં જયારે છેલ્લા દુઃખનો ધ્વંસ થાય છે તે વખતે અધર્મ હોતો નથી. અધર્મ દુઃખનું કારણ છે. એથી અધર્માભાવ દુઃખાભાવનું કારણ છે. ચરમદુઃખધ્વસ રૂપ દુ:ખાભાવની કારણતા અધર્માભાવમાં પૂર્વíપ્ત છે. આમ સ્વસમાનાધિકરણદુઃખ-અસમાનકાલીનત્વનો નિર્વાહ અધર્માભાવથી જ થઈ જાય છે. તેથી તત્ત્વજ્ઞાનનિષ્ઠકારણતા અર્થસમાજગ્રસ્ત છે. આથી આત્યંતિકત્વથી વિશેષિત દુઃખધ્વંસત્વ કાર્યતાવચ્છેદક બની શકશે નહીં.
પ્રશ્ન :–અર્થસમાજગ્રસ્ત ધર્મને કાર્યતાવચ્છેદક માનવામાં શું આપત્તિ છે ? જવાબ –બીજા પુરુષનું દુઃખ પોતાના દુઃખનું સમાનકાલીન ન હોય ત્યારે સ્વકીય- દુઃખધ્વસ