________________
मुक्तिवादः
प्रतिममिदमिति मन्यमानाः सुखमपि हातुमिच्छन्ति तेऽत्राधिकारिणः' इति । विवेकिनान्तु बहुतरदुःखानुविद्धतया सुखे नोत्कटराग इति तदभावेऽपि नोत्कटद्वेष इति बलवद्द्वेषविषयसाधनत्वस्यैव प्रवृत्तिविरोधितया मोक्षोपाये न प्रवृत्त्यनुपपत्तिः । स्वर्गेऽपि पातभयादिजन्यदुःखानुविद्धतया क्षयितया च न विवेकिनामुत्कटो रागः । रागद्वेषयोरुत्कटत्वं जातिविशेषः प्रवृत्तिनिवृत्तिभ्यां कल्पनीयः । तन्नियामिका च सामग्री तत्तज्ज्ञानव्यक्त्यादिघटिताऽननुगतैव, तुल्येऽपि बहुतरदुःखानुविद्धत्वादिज्ञाने सुखतदभावयोर्विषयिणामुत्कटरागोत्कटद्वेषोदयाद् विवेकिनान्तदनुदयात् ।
થવું સારું પણ વૈશેષિકોની મુક્તિ ક્યારેય ઇચ્છું નહીં આવા જીવો આ શાસ્ત્રના અધિકારી નથી. જે વિવેકી જીવો એવું વિચારે છે કે “આ સંસારવનમાં દુઃખો કેટલા દુર્દિન જેટલા (ઘણાવે છે અને સુખો કેવા ખજૂઆના પ્રકાશ જેટલા (અલ્પ) છે. ગુસ્સે થયેલા નાગની ફણાની છાયા જેવું અસ્થિર
આ સુખ છે' એવું માનતા, સુખને પણ છોડવાની ઇચ્છા ધરાવતા જીવો આ શાસ્ત્રના અધિકારી છે” વિવેકી જીવોને તો ઘણા દુઃખોથી વિધાયેલા સુખમાં ઉત્કટરાગ થતો નથી અને અને તેથી મુક્તિમાં સુખનો અભાવ હોવા છતાં તેમાં ઉત્કટ દ્વેષ થતો નથી. જે વિષયમાં બળવાન દ્વેષ થાય તે વિષયનું સાધન જ પ્રવૃત્તિનું વિરોધી હોય છે. મોક્ષના ઉપાયમાં (બલવદ્ધષવિષયસાધનત્વ નથી તેથી તેમાં) પ્રવૃત્તિ ન થવાનું કોઈ કારણ નથી. સ્વર્ગનું સુખ જતા રહેવાના ભયથી જન્ય દુઃખયુક્ત હોવાથી અને ક્ષય પામનાર હોવાથી તેથી વિવેકીઓને સ્વર્ગના સુખમાં ઉત્કટ રાગ થતો નથી.
સુખાભાવ પર ઉત્કટ દ્વેષ પણ ન હોય. ઉત્કટ દ્વેષ જ પ્રવૃત્તિનો પ્રતિબંધક છે. યોગાભ્યાસ વગેરે મોક્ષના ઉપાયમાં વિવેકી જીવોને બળવાન્ દ્વિષ્ટ સાધનતાનું જ્ઞાન નથી માટે પ્રવૃત્તિમાં કોઈ બાધક નથી.
પ્રશ્ન : ઇહલૌકિક સુખો દુઃખબહુલ હોવાથી તેમાં વિવેકી આત્મા પ્રવૃત્તિ ન કરે તે સમજાય. ર્ગિનું સુખ દુઃખબહુલ નથી તેથી તેમાં વિવેકી આત્માની પ્રવૃત્તિ થવામાં કોઈ બાધક નથી. વિવેકી જીવો સ્વર્ગ માટે પ્રવૃત્તિ કરે, મોક્ષ માટે નહીં એ આશય છે.
જવાબ :–વિવેકી જીવોને સ્વર્ગમાં પણ ઉત્કટ રાગ થતો નથી. સ્વર્ગનું સુખ છિનવાઈ જવાનો ભય છે. તેમ જ સ્વર્ગનું સુખ પુણ્યાધીન હોવાથી ક્ષીણ થાય છે. આમ સ્વર્ગના સુખમાં પણ દુઃખબહુલતાનું જ્ઞાન થવાથી વિવેકી આત્માને ઉત્કટ રાગ થતો નથી.
પ્રશ્ન :-ઉત્કટ રાગ પ્રવૃત્તિનું કારણ છે. ઉત્કટ દ્વેષ નિવૃત્તિનું કારણ છે. રાગ અને દ્વેષમાં રાગત-દ્વેષત્વ વિ. જાતિ છે. પણ રાગદ્વેષગત ઉત્કટત જાતિ ક્યા પ્રમાણથી સિદ્ધ છે ?
જવાબ :–રાગ અને દ્વેષમાં ઉત્કટત્વ જાતિની સિદ્ધિ અનુમાન પ્રમાણથી થાય છે. અનુમાન આ પ્રમાણે છે 'નિષ્ટપ્રવૃત્તિનનä ક્રિશ્ચિદ્ધÍર્વાચ્છન્ન નનતીત્વીતુ ધટનનતીવ(ા રાગમાં રહેલી જનકતાનો અવચ્છેદક ધર્મ કેવળ ઇચ્છાત્વ બની શકે નહીં. કારણ કે ઇચ્છાત્વ અનુત્કટ ઇચ્છામાં પણ છે. આથી રાગતની ઉત્કટવ નામની અવાંતર જાતિ કલ્પવામાં આવે છે.
પ્રશ્ન :-આ રાગ ઉત્કટ કહેવાય અને આ રાગ અનુત્કટ કહેવાય તેનું નિયામક કોણ છે?