________________
मुक्तिवादः
९
तदुक्तं मणिकृता-‘“तस्मादविवेकिनः सुखमात्रलिप्सवो बहुतरदुःखानुविद्धं सुखमुद्दिश्य 'शिरो मदीयं यदि याति यातु' इति कृत्वा परदारादिषु प्रवर्तमानावरं वृन्दावने शून्ये ( रम्ये) शृगालत्वं वृणोम्यहम् । न तु वैशेषिकीं मुक्तिं प्रार्थयामि कदाचन ॥
इत्यादि वदन्तो नाऽत्राऽधिकारिणः । ये च विवेकिनोऽस्मिन् संसारकान्तारे कियन्ति दु:खदुर्दिनानि कियती वा सुखखद्योतिका इति कुपितफणिफणामण्डलच्छाय
શંકા :–તત્ત્વજ્ઞાન દ્વારા ધર્માદિનો નાશ થાય છે. તેનાથી સુખની નિવૃત્તિ થાય છે. આમ યોગાભ્યાસ વગેરે મોક્ષના ઉપાય સુખનિવૃત્તિના સાધક હોવાથી તેમના વિષે દ્વેષ જન્મે છે. માટે વિશેષદર્શી જીવોની તેમાં પ્રવૃત્તિ થશે નહીં.
સમાધાન :–જેમને સુખનો ઉત્કટ રાગ છે તેવા વિષયી જીવોને જેમાં સુખ ન હોય તેમાં દ્વેષ થાય છે. તેથી મોક્ષના ઉપાયમાં તેમની પ્રવૃત્તિ નથી જ થતી. (આ બાબત) તત્ત્વચિંતામણિકારે પણ કહી છે, ‘‘તેથી અવિવેકી અને માત્ર સુખના લાભની ઇચ્છા ધરાવનારા આત્માઓ ઘણા દુઃખથી યુક્ત સુખને ઉદ્દેશીને શિરો મવીય દ્ધિ યાતુ યાતુ' (મારું માથું જતું હોય તો ભલે જતું) એવું વિચારી પરસ્ત્રી વગેરે પાપમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ કહે છે—‘વસતિશૂન્ય વૃંદાવનમાં શિયાળ
યોગાભ્યાસ વગેરેમાં વિષયી જીવોને સુખાભાવનું જ્ઞાન થવાથી ઉત્કટ દ્વેષ થાય છે. તેથી તેમની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થતી નથી.
આ બાબતમાં તત્ત્વચિંતામણિકારની સંમતિ દર્શાવે છે. તેમણે લખ્યું છે કે—‘‘અવિવેકી જીવોને એક માત્ર સુખ પ્રાપ્ત કરી લેવાની ઇચ્છા હોય છે. તેઓ થોડા સુખની પાછળ ઘણું દુઃખ જોઈ શકતા નથી. તેથી તેવા બહુદુ:ખફલક અલ્પસુખને માટે તેઓ પ્રવૃત્તિ કરે છે. આવા સુખને માટે તેઓ માથું આપવા પણ તૈયાર થઈ જાય છે. ‘રાવણે સીતા માટે દસ માથા આપ્યા હતા તો પરસ્ત્રી માટે એક માથું આપવામાં મને શું તકલીફ છે ?’ આવી તેમની વિચારણા હોય છે. આ વિચારણાથી જ તેઓ પરસ્રીગમન વગેરે પ્રવૃત્તિ કરે છે. મોક્ષ ઉપ૨ તેમને ઉત્કટ દ્વેષ હોય છે. મોક્ષમાં જવા કરતાં વૃંદાવનના જંગલમાં શિયાળ થવું સારું આ તેમની વિચારસરણી હોય છે. આવા અવિવેકી વિષયી જીવો આ શાસ્ત્રના અધિકારી નથી (એવું તત્ત્વચિંતામણિકાર કહે છે.)
વિવેકી જીવો સુખ-દુઃખનું વિભાજન કરી શકે છે. તેમને સંસાર જંગલ જેવો લાગે છે. જંગલમાં સૂર્યનો પ્રકાશ અલ્પ અને ખજૂઆનો પ્રકાશ વધુ હોય છે તેમ સંસારમાં દુઃખો વધુ અને સુખો થોડા છે. પ્રાપ્ત થયેલા સુખ પણ અલ્પ સમય માટે જ હોય છે માટે આવા સુખને તેઓ છોડવા તૈયાર થાય છે. આવા વિવેકી જીવો અહીં અધિકારી છે.’’
અવિવેકી જીવોને સુખના ઉત્કટ રાગને કારણે મોક્ષના ઉપાય પર દ્વેષ થાય છે. પરંતુ વિવેકી જીવોને સુખ બહુતર દુઃખથી અનુવિદ્ધ જણાય છે તેથી સુખ ઉપર ઉત્કટ રાગ થતો નથી. જે વિષયમાં ઉત્કટ રાગ ન હોય તેની વિરુદ્ધના વિષયમાં ઉત્કટ દ્વેષ પણ ન હોય. સુખ ઉપર ઉત્કટ રાગ ન હોય તો