SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०५ नपेक्षितत्वेऽपि प्रतियोगिजनकाधर्मनाशमुखेन कृतिसाध्यत्वात् । तथा हि कृत्यधीनतत्त्वज्ञानादधर्मनाशे सति अग्रिमसमये दुःखप्रागभावस्वरूपमस्ति । कृत्या विनाऽधर्मेण दुःखजननान्न तत्प्रागभावस्वरूपमस्तीति मोक्षसाधारणकृतिसाध्यत्वं प्रागभावेऽप्यक्षतम् । न चैवमावश्यकत्वाद्युगपदधर्मनाश एव मोक्षोऽस्तु युगपत्त्वं चैककालावच्छदेनैकात्मवृत्तित्वं तेनेदीनान्तनाधर्मनाशे नातिप्रसङ्ग इति वाच्यम् । अधर्मध्वंसस्य स्वतः पुरुषार्थत्वविरोधात् इति व्याचक्षुः । तदपि हेयम् । प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन मुक्तस्यापि दुःखोत्पादप्रसङ्गात् । प्रतियोग्यजनकत्वे प्रागभावे मानाभावात् तस्य જવાબ :–પ્રાગભાગ સ્વતઃ સાધ્ય નથી (જે કૃતિની અપેક્ષા રાખે તે સાધ્ય. કૃતિની અપેક્ષા ન હોય તે અસાધ્ય) છતાં પોતાના પ્રતિયોગી એવા દુ:ખના કારણ અધર્મનો નાશ કરવા દ્વારા કૃતિસાધ્ય બને છે. આ રીતે તત્ત્વજ્ઞાન કૃતિને આધીન છે. તેનાથી અધર્મનો નાશ થાય છે. જે ક્ષણે અધર્મનો નાશ થાય છે તેની પછીની ક્ષણે દુ:ખપ્રાગભાવ હોય છે. કૃતિ ન હોય તો તત્ત્વજ્ઞાન ન થાય. તત્ત્વજ્ઞાન વિના અધર્મનો નાશ ન થાય. અધર્મ તેની પછીની ક્ષણે દુઃખ ઉત્પન્ન કરે. તેથી દુઃખપ્રાગભાવ તે ક્ષણે મળે. માટે પ્રાગભાવ પણ કૃતિસાધ્ય છે. બીજી કૃતિઓની જેમ મોક્ષાનુકૂળ કૃતિનું સાધ્યત્વ પ્રાગભાવમાં પણ છે. તેથી પ્રાગભાવ પણ પુરુષાર્થ છે. પ્રશ્ન –પ્રાગભાવને પુરુષાર્થ માનવા માટે દુ:ખના કારણે અધર્મનો નાશ માનવો આવશ્યક છે તો દુઃખ પ્રાગભાવને બદલે એક સાથે બધા જ અધર્મના નાશને મોક્ષ માની લો. સવાલ એ થશે કે-યત્કિંચિત્ અધર્મનો નાશ તો સંસારી અવસ્થામાં પણ છે તેથી અતિપ્રસંગ થશે’ તેનો જવાબ એ છે કે લક્ષણ ઘટક યુગપતુ પદનો અર્થ ‘એકાકાલાવચ્છેદેન એક આત્મામાં રહેવું આવી છે. સંસારી દશામાં થતો યત્કિંચિત્ અધર્મનાશ એકકાલાવચ્છેદેન એક આત્મામાં રહેતા અધર્મનો નાશ નથી માટે અતિપ્રસંગ નથી. જવાબ :–અધર્મનાશ આવશ્યક છે પણ સ્વતઃ પુરુષાર્થ નથી. તે દુ:ખનાશની ઇચ્છાને આધીન છે. દુઃખ પ્રાગભાવ અન્ય ઇચ્છાને આધીન નથી તેથી સ્વતઃ પુરુષાર્થ છે. આ પ્રાભાકરોનો મત છે. તે પણ હેય છે. કારણ કે પ્રાગભાવ પોતાના પ્રતિયોગી બનતા પદાર્થનું કારણ છે. “જેનો પ્રાગભાવ છે તે પદાર્થને ઉત્પન્ન કરે છે” આવો નિયમ છે તેથી દુ:ખનો પ્રાગભાવ મુક્તાત્મામાં દુઃખોત્પત્તિનું કારણ બનવાની આપત્તિ છે. પ્રશ્ન :–અમે આ નિયમને માનતા નથી. જવાબ :–પ્રાગભાવના અસ્તિત્વનું પ્રમાણ કેવળ તેના પ્રતિયોગીની ઉત્પત્તિ છે. પ્રાગભાવ જો પ્રતિયોગી જનક નહીં માનો તો પ્રાગભાવમાં જ કોઈ પ્રમાણ નહીં રહે. પ્રશ્ન :-દુ:ખપ્રાગભાવને પુરુષાર્થ નહીં માનો તો ભવિષ્યમાં દુઃખ ન આવે તે માટે પ્રાયશ્ચિત્તમાં કોઈ પ્રવૃત્તિ નહીં કરે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy