________________
मुक्तिद्वात्रिंशिका
१९१
क्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितत्वात् ।।२१।।
(२२) इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह
__ अन्यत्राप्यसुखं मा भू-न्माङोऽर्थेऽत्रान्वयः स्थितः ।
दुःखस्यैवं समाश्रित्य, स्वहेतुप्रतियोगिताम् ॥२२॥ अन्यत्रापीति । अन्यत्रापि प्रायश्चित्तादिस्थलेऽपि असुखं मा भूत् । अत्र माङोऽर्थे ध्वंसे । एवमुक्तरीत्या दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः । तत्पापजन्य
યદ્યપિ દુઃખદ્વેષ અને દુઃખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષઃ આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એકબીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંનેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. આદિકાળથી દુઃખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જ્યારે દુઃખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુઃખના કારણ પ્રત્યે દ્વેષ થતો હોય છે. તેથી દુઃખદ્વેષ દુઃખના હેતુના ઢષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી...ઇત્યાદિ સ્યાદ્વાદકલ્પલતા ઇત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યયનાદિથી જાણી લેવું જોઈએ. /૩૧-૨૧ી.
(૨૨) ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે - “મને દુઃખ ન થાઓ' આવા પ્રકારનો જે ઉદેશ છે, તેનો વિષય, દુઃખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે
“બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ “મને દુઃખ ન થાઓ' (સુવું મ મૂઃ) અહીં અવ્યયના અર્થ ધ્વસમાં દુ:ખનો અન્વયે પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.” - આ પ્રમાણે બાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.' અહીં ટુર્વ માં મૂત્ અને સુરવું ને મા મૂત્ ઇત્યાદિ વાક્યોમાં મા અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુઃખનો અન્વય(સંબંધ) છે. તે અન્વય પોતાના(સ્વ) હેતુ-નિષ્ઠ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ” સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષાત્ દુઃખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે.
ટુર્વ માં મૂહું અહીં [મ(મ)]નો અર્થધ્વંસ છે. એમાં દુઃખનો અન્વય “વહેતુનિષ્ટપ્રતિયોતિનિત્વ' સંબંધથી છે. સ્વ-દુ:ખ, તેનો હેતુ પાપ, તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વંસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુઃખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ