________________
१९०
मुक्तिवादः
मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं, मुक्तेर्द्वेषयोनिप्रवृत्तितः साक्षादुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात् ॥२०॥
( ૨ ) ૩:વદ્વેષે હિ તદ્વૈતૂન, àષ્ટિ પ્રાળી નિયોતઃ । जायतेऽस्य प्रवृत्तिश्च, ततस्तन्नाशहेतुषु ॥२१॥
दुःखद्वेषे हीति । दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून् दुःखहेतून् नियोगतो निश्चयतो द्वेष्टि । अस्य दुःखहेतुद्विषश्च ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु प्रवृत्तिर्जायते । दुःखद्वेष्य(षेऽ)स्य दुःखहेतुनाशोपायेच्छादुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात् । अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमद्भावाविरोधात् । क्रमिका
સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને, જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે, (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે - આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહ્નિ નથી, ત્યાં ધૂમ નથી - આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વય-વ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે.
યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઇચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે. (કારણ કે દુઃખધ્વંસની ઇચ્છા થાય પણ કર્મક્ષયની ઇચ્છા ન થાય) પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાત્ સાક્ષાત્ દુઃખનાશના ઉપાયભૂત કર્મનાશની ઇચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી...એ સમજી શકાય છે. II૩૧-૨૦
(૨૧) દુઃખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસસ્વરૂપ મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપપત્તિ થશે : આ શંકાનું સમાધાન કરાય છે
,,
“દુઃખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુ:ખના ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની દુઃખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - દુઃખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુઃખના હેતુઓ ઉપર ચોક્કસ જ દ્વેષ કરે છે. આ દુઃખદ્વેષીની, દુ:ખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુ:ખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુઃખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ : એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુઃખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે – દુઃખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુઃખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઇચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુઃખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે.