________________
मुक्तिद्वात्रिंशिका
१८३
मुक्तिः कदर्थना । सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः । सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसदृशक्षणजननासामर्थ्यादिति ॥९॥ (૨૦)વિવર્તમાનયાથ-પક્ષીય સતિ ગાશ્રયે !
अस्यां विजयतेऽस्माकं, पर्यायनयदेशना ॥१०॥ विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थास्तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति । अस्यामुक्तमुक्तौ । अस्माकं पर्यायनयदेशना विजयते । प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्त:पातित्वात् । तदुक्तं સમત
सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो ( ३.४८) ॥१०॥ (૨૨) વીતત્યં મુmિરિત્યજે, મુતા તન્મઃ ક્ષયી
अथ कर्मनिवृत्तिश्चेत् , सिद्धान्तोऽस्माकमेव सः ॥११॥
વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે...ઇત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. ૩૧-૯ો.
(૧૦) બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સંગત થઈ શકે તે જણાવાય છે
ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા શેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂપ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, વિવર્તમાન અર્થાતુ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી (ત્રિકાલવૃત્તિ) દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે, ઉપર જણાવ્યા મુજબ મુક્તિ(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુક્તિ)ને માનવામાં અમારી(જૈનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતર્કમાં જણાવ્યું છે કે – શુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. //૩૧-૧૦ના
(૧૧) મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય છે –
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા સ્વરૂપ હોય અર્થાત સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ (અહંકાર) છે. અને તે મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઇષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ