SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ मुक्तिवादः (२) सत्कार्यमात्रवृत्तित्वात् , प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंस-प्रतियोगिनि वृत्तिमत् ॥२॥ આત્મકાલાન્યવૃત્તિāસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુઃખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વંસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસંગ આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્નસ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકાલાન્યવૃત્તિ-ધ્વંસપ્રતિયોગ્યવૃત્તિત્વ આ “દુઃખત્વ” પક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ અર્થાતર નહીં આવે. યદ્યપિ દુઃખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુઃખત્વ દુઃખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.) તેથી તે સ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાંધનું ફુરણ ન થાય ત્યાં સુધી અર્થાતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાપનું હુરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બાંધનું ફુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે...ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું. ‘નવૃત્તિઃવૃત્વમ્' આ પ્રમાણે દુ:ખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી દુઃખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રમાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના (પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. ધ્વંસપ્રતિયોરિન્યવૃત્તિમત્તે માત્ર દુઃખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુ:ખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખતુ વૃત્તિ જ છે. દુઃખત્વનું નિવેવૃત્તિધ્વંસપ્રતિયોચિત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુ:ખધ્વસના પ્રતિયોગી દુ:ખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુઃખત્વનું માત્માન્યવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. તેથી દુઃખત્વનું માત્માની ધ્વંસપ્રતિયોગિન્યવૃત્તિમત્તે – આ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયસિદ્ધિ નહિ આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુ:ખધ્વંસ વૃત્તિ નથી. યદ્યપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદકતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં ત્મિતિ પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ કર્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુઃખધ્વંસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે....ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૩૧-૧ી. (૨) મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy