________________
१४८
मुक्तिवादः
एतेन अविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवलात्माऽपवर्गेऽस्तीति वेदान्तिमतं निरस्तम्, ज्ञानसुखात्मकब्रह्मणो नित्यत्वे मुक्तसंसारिणोरविशेषापातात्, तादृशात्मनः આ રીતે દ્વિવિધ પ્રતિબધ્ય-પ્રતિબન્ધકભાવને સ્વીકારવાનું ગૌરવ મીમાંસકમતમાં દુર્વાર બનશે. માટે બ્રહ્મને આનન્દસ્વરૂપ માનવાના બદલે આનંદવાન્ =આનંદાશ્રય માનવામાં લાઘવ છે. આથી જ ‘માનન્દ્ર વ્રહ્મ' અહિં મવર્ગીય અન્યૂ પ્રત્યય આનંદપદને લગાડવામાં આવેલ છે. માટે બ્રહ્મતત્ત્વ આનંદવાન છે, નહીં કે આનંદસ્વરૂપ =આનંદાડભિન્ન–આમ સિદ્ધ થાય છે. આથી નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ નહીં માની શકાય આ પ્રમાણે મીમાંસક પ્રત્યે નૈયાયિકનું કહેવું છે.
કેવલ આત્મસ્વરૂપ મુક્તિ–વેદાન્તી વેદાન્તી : જીતેન | અવિદ્યાની નિવૃત્તિ થયા બાદ જ્ઞાન-સુખસ્વરૂપ કેવળ આત્મા જ અપવર્ગ =મોક્ષ છે. આશય એ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અને સુખસ્વરૂપ છે. તેમ જ એકાન્ત નિત્ય છે. એકમાત્ર આત્મતત્ત્વની જ પારમાર્થિક સત્તા છે. આત્મા અનાદિકાળથી અવિદ્યાથી ઉપહિત છે. અવિદ્યાનો અર્થ છે માયા–અજ્ઞાન કે જે સત્ત્વ, રજસ, તસમ્ આ ત્રણે ગુણોથી અભિન્ન છે. તે ત્રિકાલઅબાધ્યરૂપમાં સતું નથી તથા શશશૃંગ વગેરેની જેમ કામાત્રથી અસંબદ્ધસ્વરૂપ સર્વથા અસતું પણ નથી. આત્માની જેમ સત્ રૂપે કે શશશૃંગ વગેરેની જેમ અસત્ રૂપે નિર્વાચ્ય ન હોવાથી અનિર્વચનીય છે. તે અવિદ્યાના કારણે જ આત્માના નિત્યજ્ઞાનસુખાત્મક વાસ્તવિક સ્વરૂપનો બોધ ન થતાં તેના અવાસ્તવિક નામાદિસ્વરૂપે જગતનો બોધ થાય છે. આ રીતે અવિદ્યાસ્વરૂપ ઉપાધિ એ જ આત્માનું બંધન છે, આ બંધનના કારણે જ આત્મા બધા કુકર્મોનું ભાજન બને છે. જ્યારે પુણ્યપુંજના પરિપાકથી સદ્ગુરુનો સત્સંગ થયા બાદ તેમની કૃપાપૂર્વક વેદાન્તઉપદેશથી આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ થશે ત્યારે અવિદ્યાની નિવૃત્તિ થવાથી જ્ઞાન-સુખમય કેવળ આત્મા જ અવસ્થિત રહેશે. આત્માની આ સ્થિતિ જ તેની મોક્ષકાલિક સ્થિતિ બનશે.
નૈયાયિક :- નિરસ્ત જ્ઞo | આ વાત બરાબર નથી, કારણ કે જ્ઞાનસુખાત્મક બ્રહ્મસ્વરૂપ આત્મા જ જો મોક્ષ હોય તો મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં રહે. આનું કારણ એ છે કે ઉપર્યુક્ત મુક્તિ નિત્ય હોવાને લીધે સંસારદશામાં પણ રહેશે. તેથી સંસારી જીવને મુક્તથી ભિન્ન કહેવું અસંભવ બની જશે. આથી મોક્ષપુરુષાર્થનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાન-સુખાત્મક બ્રહ્મસ્વરૂપ આત્મા નિત્ય હોવાના લીધે કૃતિ =પુરુષપ્રયત્નથી સાધ્ય નથી. જે નિત્ય છે તેની ઉત્પત્તિ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા ન હોવાથી મોક્ષ અપુરુષાર્થ બની જશે. પુરુષની અભિલાષાનો વિષય મોક્ષ નહીં બની શકે. અહીં જો વેદાન્તી તરફથી એમ કહેવામાં આવે કે ફક્ત ઉપરોક્ત આત્મા એ જ મોક્ષ નથી પરંતુ અવિદ્યાનિવૃત્તિસ્વરૂપ ઉપરોક્ત આત્મા મોક્ષ છે. આત્માને અનાદિ કાળથી જે અવિદ્યા વળગેલી છે તેની નિવૃત્તિ આત્માસ્વરૂપ જ છે અને તે પુરુષાર્થ બની શકે છે. તેથી આત્મત્વન આત્મા ભલે કૃતિસાધ્ય ન હોય પરંતુ આત્માસ્વરૂપ અવિદ્યાનિવૃત્તિને પુરુષાર્થ માનવામાં કોઈ બાધ નથી. તે પુરુષપ્રયત્નથી સાધ્ય જ છે. તેમ જ સંસારદશામાં અવિદ્યાની