________________
न्यायालोकः
१४७
'सिद्धार्थत्वेन नेयं श्रुतिः स्वार्थे प्रमाणमिति चेत् ? प्रकृतेऽपि तुल्यम् । किञ्च सुखत्वानुभवसामान्ये न मिथ्याज्ञानवासना दोषः, अनित्यसुखेऽपि सुखत्वाननुभवप्रसङ्गात्, किन्तु नित्यसुखत्वानुभवे आत्मनि सुखत्वानुभवे चेति गौरवम् । तस्मात् 'आनन्दं ब्रह्म' इति मत्वर्थीयाऽच्प्रत्ययान्तेनानन्दवत्त्वं बोध्यते, न तु तदभेद इति ।
તેમ આત્મત્વના આશ્રયથી અભિન્ન આશ્રમમાં રહેવાને લીધે સુખ સ્વતંત્ર જાતિ સિદ્ધ નહીં થઈ શકે. બીજી વાત એ છે કે આ રીતે માનવામાં તો દુ:ખ પણ સુખ બની જશે, કારણ કે ‘સર્વ નું રૂટું બ્રહ્મ' આ શ્રુતિ દ્વારા સર્વ અંતર્ગત દુઃખ પણ બ્રહ્મસ્વરૂપ સિદ્ધ થાય છે કે જે બ્રહ્મ સુખાત્મક છે. અહીં એવી શંકા થાય કે દુઃખ એ સુખસ્વરૂપ હોય તો દુ:ખનો દુઃખત્વસ્વરૂપે જ અનુભવ કેમ થાય છે? સુખત્વરૂપે અનુભવ કેમ થતો નથી?–તો એનું સમાધાન એવું આપી શકાય છે કે દુઃખ એ સુખથી અભિન્ન હોવાથી દુઃખના અનુભવ વખતે દુ:ખાભિન્ન સુખ પણ અનુભવાય જ છે. સુખત્વનો તેમાં અનુભવ ન થવાનું કારણ એ છે કે દેહાત્માના અભેદ ભ્રમના સંસ્કારસ્વરૂપ દોષ ઉપસ્થિત છે. તેથી દુ:ખને સુખસ્વરૂપ માનવું પડશે.
મીમાંસક :- સિદ્ધo | ‘સર્વ રવતુ રૂદ્ર વ્રä' આ શ્રુતિ સિદ્ધાર્થપરક છે. અર્થાત્ વિધ્યર્થથી નિરાકાંક્ષ એવા અર્થની પ્રતિપાદક છે. માટે સર્વની સાથે બ્રહ્મના અભેદ સ્વરૂપ પોતાના અર્થના પ્રતિપાદન કરવામાં તે શ્રુતિ પ્રમાણ નથી. માટે સર્વાન્તર્ગત દુઃખને સુખસ્વરૂપ થવાની આપત્તિને અવકાશ નહીં રહે.
નૈયાયિક :- પ્રશ્ન | તો પછી “નિત્યં વિજ્ઞાનમાનદ્ વ્રહ્મ' આ શ્રુતિને પણ સિદ્ધાર્થપરક માની શકાય છે, કારણ કે તે પણ વિધ્યર્થથી નિરાકાંક્ષ એવા અર્થની પ્રતિપાદક છે. શ્રુતિ તો વિધિઅર્થમાં પ્રમાણ હોવાથી નિત્ય સુખમય બ્રહ્મ અર્થના પ્રતિપાદન કરવામાં ઉપરોક્ત શ્રુતિને પ્રમાણ નહીં કહેવાય. આથી નિત્ય સુખની સિદ્ધિ દુર્લભ બની જશે. તો પછી નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ કઈ રીતે કહી શકાશે ?
મીમાંસકમતમાં ગૌરવ–નૈયાયિક જિગ્નેo | બીજી વાત એ છે કે જો નિત્ય સુખનો સ્વીકાર કરવામાં આવે અને બ્રહ્મતત્ત્વને સુખસ્વરૂપ માનવામાં આવે તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે મિથ્યાજ્ઞાનની વાસના કોની પ્રતિબંધક બનશે ? કોઈ પણ સુખ–પ્રકારક અનુભવ =સાક્ષાત્કાર પ્રત્યે તો તેને પ્રતિબંધક માની નહીં શકાય, કારણ કે તેમ માનવામાં આવે તો સંસારદશામાં અનિત્ય સુખમાં પણ સુખત્વનો સાક્ષાત્કાર નહીં થઈ શકે. મિથ્યાજ્ઞાનના સંસ્કાર સ્વરૂપ ઉપસ્થિત પ્રતિબંધકના પ્રતિબધ્ધતાઅવચ્છેદકસ્વરૂપ સુખ–સાક્ષાત્કારત્વથી આક્રાન્ત હોવાના લીધે મિથ્યાજ્ઞાનીઓને અનિત્ય સુખમાં સુખત્વનો સાક્ષાત્કાર નહીં થઈ શકે. તેથી સુખ–પ્રકારસાક્ષાત્કારને છોડીને નિત્યસુખ–સાક્ષાત્કાર પ્રત્યે અને આત્મામાં સુખ–પ્રકારક અનુભવ પ્રત્યે મિથ્યાજ્ઞાનસંસ્કારને પ્રતિબંધક માનવા પડશે. તો જ “સંસારદશામાં નિત્યસુખત્વનું ભાન નથી થતું–તેની સંગતિ થઈ શકશે અને આત્મામાં સુખને બદલે સુખત્વનું ભાન નથી થતું તેની પણ ઉપપત્તિ થઈ શકશે. પરંતુ