________________
मुक्तिवादः
उत्तरकल्प इव उत्तरकल्पव्यवच्छेदसाहित्यस्यापि पूर्वकल्पेऽपि बोध इति व्युत्पत्ते
हिभिर्यवैर्वा इत्यादावपि व्रीह्यादौ यवासाहित्यबोधस्य व्युत्पत्तिसिद्धत्वादित्यन्यत्र विस्तरः ॥
इति महामहोपाध्यायश्रीमद्गदाधरभट्टाचार्यकृतः मुक्तिवादः समाप्तः ॥
યાગ ફળસાધન છે એવો પ્રત્યય થતો નથી.
જવાબ –તૃણથી નિરપેક્ષ મણિરૂપ દ્રવ્યથી વહ્નિ ઉત્પન્ન થાય છે છતાં, ‘તૃણથી વહ્નિ ઉત્પન્ન થાય છે કે દ્રવ્યથી ?' આવો પ્રયોગ થતો નથી. તેથી વાકાર ઉત્તરવાક્યમાં હોય તો પણ ઉત્તરકલ્પમાં જેમ પૂર્વકલ્પવ્યવચ્છેદનું સાહિત્ય જણાવે છે તેમ પૂર્વકલ્પમાં ઉત્તરકલ્પવ્યવચ્છેદનું સાહિત્ય પણ જણાવે છે આ નિયમ છે. તેથી વ્રીહિfમર્યવૈ ઇત્યાદિ સ્થળે પણ વ્રીહિ વગેરેમાં યવના અસાહિત્યનો બોધ નિયમસિદ્ધ છે. ઇત્યાદિ વાતોનો વિસ્તાર અન્યત્ર કર્યો છે.
મહામહોપાધ્યાયશ્રી ગદાધરભટ્ટાચાર્યકૃત મુક્તિવાદનો અનુવાદ સમાપ્ત થયો.
છે. વાકારનો અન્વયે તાત્પર્ય પ્રમાણે થાય છે. ઉપરોક્ત સ્થળે ઉત્તરવાક્યમાં રહેલ વાકાર જેમ યવની સાથે વ્રીહિના સાહિત્યનો વ્યવચ્છેદ કરાવે છે તે જ રીતે તાત્પર્યવશાત્ વ્રીહિની સાથે યવના સાહિત્યનો વ્યવચ્છેદ પણ કરાવી શકે છે. તેમાં કોઈ જ વિરોધ નથી. વાક્યમાં ક્યા પદનો અન્વય કોની સાથે થઈ શકે છે તે વક્તાના તાત્પર્યને આધીન હોય છે. આમ વ્રીહિયવસ્થળે પરસ્પરાભાવસાપેક્ષતા છે. વાક્યસ્થ પદોના અન્વય વગેરેની વિશેષ ચર્ચાનો વિસ્તાર વ્યુત્પત્તિવાદ વગેરે ગ્રંથોમાં જોવા મળે છે.
મહામહોપાધ્યાય શ્રી ગદાધરભટ્ટાચાર્યકૃત “મુક્તિવાદ'નું વિવરણ સમાપ્ત થયું.