________________
मुक्तिवादः
८१
प्राणेषूत्क्रममाणेषु रुद्रस्तारकं ब्रह्म व्याचष्टे येनासावमृतीभूत्वा मोक्षीभवति' । तदुपदेशस्यादृष्टद्वारा शरीरान्तरपरिग्रहाधीनात्मतत्त्वसाक्षात्कारजनकत्वम् । न च मुमूर्षुतादशायां तारकोपदेशे तच्छरीरावच्छेदेनैवात्मतत्त्वसाक्षात्कारसम्भवात् किमर्थं शरीरान्तरस्वीकार ? इति वाच्यम्। तच्छरीरावच्छेदेन तारकमन्त्रोपदेशादात्मतत्त्वज्ञानस्वीकारे काशीमरणहेतुत्वानुपपत्तेः । यदि च काशीमरणकारणताबोधकवाक्यानां तदानीमाबोधकस्य तारकोपदेशस्य हेतुतायामेव तात्पर्यम् अन्यथा एकेनापरस्यान्यथासिद्धेर्दुष्परिहारत्वादित्युच्यते तदा तच्छरीरावच्छेदेनापि तत्त्वज्ञानसम्भवो बोध्यः ।
પ્રશ્ન :-મરવાની ઇચ્છા ધરાવતા પુરુષની તે દશામાં તારક ઉપદેશ આપવામાં આવે છે ત્યારે તે શરીરવચ્છેદન જ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ શકે છે તો બીજું શરીર સ્વીકારવાનું શું કારણ?
જવાબ:-તે શરીરવચ્છેદેન તારક મંત્રના ઉપદેશથી તત્ત્વજ્ઞાન થાય છે તેવું સ્વીકારવાથી કાશીમરણની હેતુતા અનુપપન્ન થશે.
જો, કાશીમરણની કારણતાના બોધક વાક્યોનું તાત્પર્ય ત્યારે આબોધક એવા તારક ઉપદેશની હેતુતામાં જ છે. નહીં તો એક કારણ બીજાને અન્યથાસિદ્ધ કરી દે, આ આપત્તિ ટાળી શકાશે નહીં, તો તે શરીરવચ્છેદેન પણ તત્ત્વજ્ઞાન સંભવે છે તે જાણવું.
દા કરે છે. આ અદૃષ્ટ શરીરવંતરના પરિગ્રહનું કારણ છે અને આત્મતત્ત્વ- સાક્ષાત્કાર આ શરીરાંતરને અધીન હોય છે. આમ, તારક ઉપદેશ પરંપરાએ આત્મસાક્ષાત્કારનું કારણ બને છે.
પ્રશ્ન –પ્રાણીની મરણોન્મુખ દશામાં તારક ઉપદેશ થાય છે. મરણ પહેલા તો તે શરીરના સહારે જ તત્ત્વજ્ઞાન થઈ શકે છે. તો તત્ત્વજ્ઞાન માટે અદૃષ્ટ દ્વારા બીજા શરીરની કલ્પના કરવાનું શું પ્રયોજન છે?
જવાબ: મોક્ષ પ્રત્યે માત્ર તારક ઉપદેશ જ કારણ નથી પરંતુ કાશી મરણને પણ કારણ ગયું છે. કાશીમરણની કારણતા અખંડિત રહે તે માટે શરીરમંતર પરિગ્રહની કલ્પના અનિવાર્ય છે.
તારક ઉપદેશની કારણતા અંગે અન્ય મત પણ છે. આ મત મુજબ કાશીમરણને મુક્તિનું કારણ જણાવતા વાક્યોનું તાત્પર્ય અલગ છે. કાશીમરણ દ્વારા અદૃષ્ટ ઉત્પન્ન થઈ શરીરાંતરનો પરિગ્રહ થાય છે તેવું જે મત જણાવે છે તેમાં ત્રુટિ છે. તારક ઉપદેશ અને કાશીમરણ આ બંનેમાંથી એક કારણને તત્ત્વજ્ઞાનનું નિયતપૂર્વવર્તિ દર્શાવવું પડશે. જે નિયતપૂર્વવર્તિ હશે તે કારણ બનશે. તેનાથી ભિન્ન અન્યથાસિદ્ધ થશે. આમ બેમાંથી એક અન્યથાસિદ્ધ સાબિત ન થાય એ માટે અત્ર દિ એ શ્રુતિનું તાત્પર્ય અલગ માનવું રહ્યું. આ વાક્યનું મરણ પહેલા તારકોપદેશનું પ્રતિપાદન કરે છે એવું તાત્પર્ય માનવાને બદલે મરણ સમયે જ તારકોપદેશની હેતુતા જણાવે છે તેમ માનવું વધુ યોગ્ય છે. ગંગાજળના સંબંધને કારણે મૃત શરીરમાં અષ્ટ ઉત્પન્ન થાય છે તેમ તત્ત્વજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે એવું માની લેવું પડે છે. અન્યથાસિદ્ધિનો આ રીતે પરિહાર કરતા આ મતમાં ગદાધરની અરુચિ જણાય છે. મૃતશરીરમાં ઉપદેશ દ્વારા અદૃષ્ટ ઉત્પન્ન થાય છે એ ઘટના સમજાવવી મુશ્કેલ છે. ઉપદેશ શબ્દાત્મક છે. શબ્દાત્મક ઉપદેશ અદષ્ટનું કારણ બને તો કારણતાવચ્છેદક સંબંધ કયો બને? આ સંબંધનું નિર્વચન થઈ શકતું નથી. તે આ મતમાં અસ્વરસ છે.