________________
શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન : : ૫૯
અંતર અતિ ઉલસે હો કે જન્મભૂમિ નીરખી; મુમુક્ષુ મનને હો કે કલ્યાણક સરખી.’
આ પદ શ્રી બ્રહ્મચારીજીએ પોતાના ભાવથી બનાવ્યું છે. કેવી રૂડી ભક્તિ અને અંતરના ઉમળકે તેમાં દેખાય છે ! પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર પણ તેઓ ત્યાં પધાર્યા હતા અને મને સારી હિંમત તથા સાથ આપ્યાં હતાં. આજે આપણે ભણતરની સાથે નમ્રતા કેઈકમાં જ જઈશું. જ્યારે તેઓ ભારે વિદ્વાન છતાં નમ્ર પણ એટલા જ, એ સુમેળ એ એમનું સંસ્કાર-જ્ઞાન બતાવે છે. સંસ્કૃતની ઉક્તિ છે નમરિન સ્ટિતાઃ વૃક્ષા નમનિત ગુણીનો બનાઃ || એ સૂત્ર એમના જીવનમાં ચરિતાર્થ થયું હતું. - તેઓ આવા સાક્ષર, સાધનસંપન્ન અને સુખી કુટુંબના હોવા છતાં આત્મસેવા કહો કે માનવસેવા કહો—એવી સાચી સેવામાં ઘરબાર છોડીને, કુટુંબીજનોના નેહસબંધને જૂઠા માનીને, જીવન સંપૂર્ણ કરવા તૈયાર થાય અને સૌના સેવક થઈને રહેવાની ઉત્તમ ભાવના થાય તેમ જ તેને જ પોતાનું કર્તવ્ય સમજે અને એને સાકાર કરવા સતત, અત્યંત પુરુષાર્થ કરવામાં આનંદ માનનાર હોય એ જ દર્શાવે છે કે તેમના આત્માની કેવી દિવ્યતા હતી ! પરમાર્થમાં હિંમત અને દઢતાની પ્રથમ જરૂર રહે છે. એ વિના સપુરુષને માગ પ્રાપ્ત થા વિકટ છે.
મહાત્મા ગાંધીજી પૂ. બા (આગળ ચાલતાં)-આ ભારતના પ્રાણ રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની તસવીર છે. તેમની દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અપૂર્વ અને અજોડ હતાં. એમની એ રાષ્ટ્રસેવાના ફળરૂપે ભારતદેશ આજે સ્વાતંત્ર્ય ભગવે છે.
મહાત્માજી વિલાયતથી પાછા ફર્યા ત્યારે તેમને કૃપાળુ દેવને પ્રથમ પરિચય થયા. ત્યાર પછી પોતે ખ્રિસ્તી થવાના વિચારમાં હતા પણ ધમ સંબંધી પોતાના સત્તાવીસ પ્રશ્નોનું સમાધાન કૃપાળુદેવના પત્રથી થવાથી હિંદુ ધર્મમાં સ્થિર થયા તે