________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૪૭
wwwwwwww
તેમના અને આપણા વ્યવહારમાં એટલો સ્પષ્ટ તફાવત છે કે આપણે લૌકિક દૃષ્ટિએ કામ કરીએ છીએ, જ્યારે તેમનાં કાર્યો અલૌકિક-નિષ્કામ પ્રેમ- દૃષ્ટિએ થતાં. સંસારમાં રહેવા છતાં તેમનું અંતર સંસારથી વિરક્ત-અનાસક્ત હતું. સંસારથી નિસ્પૃહ થવા સિવાય તેમની કોઈ આકાંક્ષા નહોતી :
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજા....”
–આત્મસિદ્ધિશાસ્ત્ર,
તેમના આવા પ્રકારના ઉત્કૃષ્ટ ચરિત્રમાંથી આપણે અત્યંત ભક્તિ-આદરપૂર્વક સગુણા ગ્રહણ કરી શકીએ અને ભવમુક્ત થઈ એ એ જ આપણી નમ્ર પ્રાર્થના છે. પૃ. માને આપણાં કોટિ કાટિ વંદન હો !