________________
૪૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પૂ. માએ આપણામાં વાવેલા ઉત્તમ ધાર્મિ ક સસ્કારબીજને વિકસાવવા આપણે સતત જાગૃત રહીએ એ જ પરમકૃપાળુ દેવ પાસે આપણી નમ્ર માગણી છે.
એક જિજ્ઞાસુએ પૃ. કુંવરમાના ઘણા પ્રેમ સ’પાદન કર્યાં હતા. તેમણે એક વાર પૂછ્યું, “ખા! તમારું ઉત્તમ ચરિત્ર જાણવા અને સમજવા મળ્યું એને મારું અહાભાગ્ય સમજું છું. તમારી જ્ઞાનગ્રહણશક્તિ, સ‘તજનાની તમે અતરથી કરેલી ભક્તિ અને તેમનાં દર્શન અને સમાગમની એકનિષ્ઠ ઉત્કંઠા —આ બધી તમારા ઉદાત્ત આત્માની જ પ્રસાદી છે. મહાપુરુષાના ચરિત્રની સુવાસ પામવા અને તેનાં રહસ્યાને સમજવા માટે પણ સાચી ચેાગ્યતા હાવી જોઈએ. તે કેમ મેળવવી?” પૂ. માએ ઉત્તર આપ્યા “છે તેા એમ જ; પણ એવી સર્વાંગ ચેાગ્યતા મારામાં કથાં છે? પ્રભુએ તેા કહ્યું છે, જે મનુષ્ય સત્પુરુષાનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.” (વચનામૃત )
CO
પૂ. કુંવરમાની ઉપર્યુક્ત જિજ્ઞાસુ ઉપર અત્યંત કરુણા હતી. તેએ પ્રભુના પરમ ભક્ત તેા હતાં જ, પરંતુ સાથેસાથે આત્માની એટલી બધી કેળવણી તેમને મળી હતી કે વ્યવહારશુદ્ધિ અને પરમા શુદ્ધિ એમ બંનેનુ જ્ઞાન મેળવી શકે. તેએ કથાવાર્તા કરતાં હાય ત્યાંય જનસમુદાયને તેમના ઉદાત્ત પ્રભુપ્રેમ, તેમની ઉપર અપાર શ્રદ્ધાભક્તિ તથા શમ-સવેગ આદિ સદગુણાના જ્યેાતિદર્શનના અનન્ય લાભ મળતા. સર્વ જીવા પ્રત્યે સમભાવ રાખવા અને સમાગમમાં આવનાર વ્યક્તિના મનનું સમાધાન કરી તેને શાંતિ આપવી અને પરમકૃપાળુ પ્રભુનાં વચનામૃતમાં તેમની શ્રદ્ધા કેળવવી એ એમને સહજ સ્વાભાવિક હતું. તેમની વાણીમાં એવી મીઠાશ હતી કે લેાકેાને એમના મુખેથી પ્રભુનાં વચનામૃત સાંભળવા ગમતાં. તેમની વાત્સલ્યભાવના એટલી પ્રબળ હતી કે તેમને પરિચય કેળવવાનું ખૂબ મન થતું. આવાં જનેા પર પૃ. માને એટલા બધા પ્રેમ હતા કે તે એકાદ દિવસ ગેરહાજર હોય ત પૂ. મા તેમને ખેલાવવા કાઈને મેકલતાં અને ભાજન પણ ઘણુ’ખરું તેમની સાથે જ લેતાં,