SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૯ હસમુખલાલ મુંબઈમાં વેપાર કરે છે. મારા કાકાના દીકરા ભાઈ સુદર્શનને એક પુત્ર અતુલ અને એક પુત્રી આરતી છે. ભાઈ સુદશ ન મુંબઈમાં ઝવેરાતના વેપાર કરે છે. ભાઈ સુદશને વવાણિયાના વડીલના મકાન પર “ રાજ જન્મભુવન” બાંધવાની રાજીખુશીથી રજા આપી હતી તે અગાઉ કહેવાઈ ગયું છે. પરમકૃપાળુ દેવનાં વસ્ત્રો તથા ઘાડિયું વગેરે સાધના તેમણે તથા તેમની પત્ની શારદાએ સાચવી રાખ્યાં હતાં. તે તેમણે રાજભુવનને ભેટ અર્પણ કર્યા છે. આ હકીકત તેમના ભક્તિભાવની સૂચક છે. | કૃપાળુદેવનું પરમાર્થમય લોકોત્તર જીવન, તેઓના અપૂર્વ દિવ્ય વિચારો અને સાધુ પ્રકાશમાં આણવા મારા કાકા મનસુખભાઈ એ સતત અથાગ પ્રયત્ન કર્યા છે. તે માટે સારા શ્રમ લઈ તેઓશ્રીના (પરમકૃપાળુ દેવના) મુમુક્ષુભાઈએ પ્રતિ લખાયેલા સાધમય, શુદ્ધ સમાગદર્શક પત્રો ભેગા કરીને તેમણે ગ્રંથાકારે પ્રગટ કર્યા છે. તે પછી અન્ય આવૃત્તિઓ પણ “પરમશ્રત પ્રભાવક મંડળ’ તરફથી બહાર પડેલ છે. તેમની પત્રકાર તરીકે લેખનશક્તિ ઘણી જ સારી હતી. તેઓ શાસ્ત્રોનું સંશોધન કરી જૈન ધર્મની મૂળ પ્રણાલિકા ઉપર સારો પ્રકાશ પાડતા અને નીડરપણે સત્ય વસ્તુને દૃષ્ટાંત-દલીલો સહિત પ્રગટ કરતા. - પરમકૃપાળુ દેવનાં વચનામૃત પુસ્તકરૂપે પ્રગટ થતાં ઘણાં જૈન તેમ જ જૈનેતર ભાઈ એ તેમાં રસ લેતા થયા. ત્યારે શ્રી મનસુખભાઈના તેમ જ બીજા ઘણા ભાઈ એના ઉત્સાહથી પરમકૃપાળુ દેવની જન્મજયંતી જાહેરમાં ઉજવવાનું શરૂ થયું. સંવત ૧૯૭૧માં મહાત્મા ગાંધીજી હિંદ પધાર્યા ત્યારે શ્રી મનસુખભાઈએ તેમના સહકાર મેળવી તેઓશ્રીના પ્રમુખપણ નીચે પરમકૃપાળુદેવની જયંતી ઉજવી હતી. | ‘રાજ-જય'તી વ્યાખ્યાનો’ એ નામે પુસ્તક શ્રી મનસુખભાઈ એ સંવત ૧૯૭૪માં પ્રસિદ્ધ કર્યું છે. તેમાં પરમકૃપાળુશ્રી પ્રત્યે આદર અને વિશ્વાસ દર્શાવનાર ભાઈ એ તરફથી અપાયેલાં વ્યાખ્યાના તથા જય'તી પ્રસંગે મેકલાવેલા લેખોનો સંગ્રહ કર્યો છે. તે ગ્રંથમાં જયંતી મહોત્સવ પ્રસંગે દી, બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદેથી અપાયેલા ભાષણનો પણ સમાવેશ થાય છે. તેમાં ‘ અનુકરણીય ભ્રાતૃભાવ” એ વિશે નીચે પ્રમાણે જણાવ્યું છે, જેથી આપણને મનસુખભાઈની વિશિષ્ટતા સમજાશે :
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy