________________
શ્રીમદ્ રાજચંદ્ર જમભુવન : : ૧૯
wwwwww
જ્યારે નડિયાદમાં મારાં પૂ. માતુશ્રી અને પરમકૃપાળુ દેવશ્રી હતાં ત્યારે વવાણિયાથી પૂ. દેવમા ખીમાર થયાંના સમાચાર મળવાથી અને વવાણિયા પધાર્યા હતાં. પ્રભુએ પૂ. દેવમાની ચાકરી ઘણી જ સરસ કરી. પેાતે તેમની પાસે જ બેસી રહેતા. પૂ. દેવમા માંદગીને કારણે ચાલવુ સાવ ભૂલી જ ગયાં હતાં તેથી પ્રભુ તેમને હાથ ઝાલીને ચલાવતા. ‘અપૂર્વ અવસર’તુ પઢ પ્રભુએ પૂ. દેવમાના ખાટલા પર બેઠાં બેઠાં લખ્યુ હતું. આ વાત મને મારાં ફાઈના દીકરા હેમ'તભાઈ એ કહી હતી.
એક વાર મારા કુઆ ટોકરશીભાઈ તથા મારા માટાભાઈ (૩) કૃપાળુદેવ સાથે ઈડર ગયા હતા. ત્યાંથી પ્રભુ વાણિયા પધાર્યા પછી ઘેાડા વખત રહીને મુંબઈ પધાર્યા. ઘેાડા દિવસ પછી અમે કુટુ અસહિત મારાં પૂ. માતુશ્રી અને પૂ. દેવમા સુદ્ધાં મુંબઈ ગયાં હતાં. ત્યાં ટોકરશી મહેતા ગુજરી જવાથી અમે સૌ વવાણિયા પાછાં આવ્યાં અને પ્રભુ ધરમપુર પધાર્યા. ત્યાંથી વવાણિયા પાછા ફર્યા ત્યારે તેઓશ્રીના શરીરે નબળાઈ વર્તાતી હતી. આ સઘળુ મારી સ્મૃતિમાં હજી સુધી જેમનુ' તેમ જ છે. પછી મેારખી રહેવાનું રાખ્યું. ત્યાં સૌ કુટુ બી સાથે હતાં. ત્યાર પછી કૃપાળુદેવની તબિયત વઢવાણમાં વધુ નરમ થઈ ગઈ હતી. ત્યારે પૂ. દેવમા ત્યાં હતાં. તેમણે પૂ. રવજીભાઈ ને તારથી ખખર આપ્યા. તાર આવતાં મારાં પૂ. માતુશ્રી તથા પૂ. રવજી અદા પરાઢિયે ગાડીમાં બેઠા, ત્યારે જતી વખતે પૂ. અદાએ પ્રતિજ્ઞા કરી કે હું ભાઈનુ માહુ જોયા પછી ગાયાને ઘાસ નાખી અન્નપાણી લઈશ. ત્યાં પહેાંચીને પ્રભુને જોયા પછી તેમને શાંતિ થઈ. કાઈ મુમુક્ષુ ભાઈ એ રવજી અદાને કહ્યું કે હવે દાતણ કરો. કૃપાળુદેવે જ્ઞાનમાં જાણી લીધેલું કે આવી રીતે તેમણે પ્રતિજ્ઞા કરી છે, એટલે પેલા ભાઈ ને કહ્યું કે ચાકમાં ગાયાને ઘાસ નંખાવા ત્યાર પછી જ તેઓ અન્નપાણી લેશે, તે પહેલાં નહીં લે.
વઢવાણુ કૅમ્પ પછી અમદાવાદમાં આગાખાનને ખ'ગલે પ્રભુને રહેવાનુ થયું. ત્યાંથી તેમણે કાગળમાં લખાવ્યું કે ‘અત્યારે બધા અહી' છે. સાખરમતીને કાંઠે દીકરા એકલા છે પણ મા નથી,’