________________
૧૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
“તમારા જમાઈ આવ્યા છે, બહાર તો આવો.” તે સાંભળી જલુબાઈ એવા ઉલ્લાસમાં આવી ગયાં કે ચૂલે હાંડલું મૂકેલું હતું તેમાં આંધણનું પાણી મૂકવાનું ભૂલી જઈ ધાયેલા ચોખા ખાલી હાંડલીમાં એરી દઈ બહાર આવ્યાં. એટલે પરમકૃપાળુ દેવશ્રીએ કહ્યું: ‘જમાઈ આવે એટલે ઉલ્લાસમાં ધાણી ફૂટે.’ કહેવાના. આશય એ હતો કે રસોડામાં ચેખાની ધાણી ફૂટે છે.
વવાણિયામાં એક શિવુભા બાપુ છે. તેમણે મને એક વાર એક વાત કરેલી. તે આ મુજબ હતી : શિવુભાના બાપુ મામિયાજી હરદાસજીનાં લગ્ન હતાં. તેમના ભાઈજી શ્રી ભૂપતસિંહ લખમણજી અવારનવાર પ્રભુ પાસે આવતા હતા. ભૂપતબાપુને પ્રભુએ કહ્યું કે બાપુ, તમે આજે સામૈયામાં જશે નહી અને જાઓ તે ઘોડે ચડશે નહીં. તેમણે કહ્યું કે નહી જાઉં'. પણ પછીથી તેઓ ઘાડે ચડી સામૈયામાં ગયા. ઘોડા દોડાવતાં તે ભડકયો અને વરરાજાના ગીડા સાથે અથડાતાં ભૂપતસિંહબાપુને કપાળમાં ગાડાનું ડાગળું વાગ્યું અને જ્ઞાનમંદિરે જતાં મિયાણાવાસ પાસે અત્યારે જે ઝાંપો છે ત્યાં પડયા અને થોડી વારમાં મરણ પામ્યા.
વવાણિયામાં મારાં માતુશ્રી એક વાર કમદ ખાંડતાં હતાં ત્યારે પ્રભુ થોડે દૂર બિરાજ્યા હતા અને ગાથાઓ બોલતા હતા. મેં પાંચથી સાત વર્ષની વયે જોયેલી આ વાત છે. તે હજુ પણ યાદ. આવ્યા જ કરે છે. મારાં માતુશ્રીને કેાઈ એ વિાદમાં કહ્યું કે તમે પૈસાવાળા ઝવેરી કહેવાઓ અને છતાં હાથે કમેદ ખાંડો છો ?” આ વાત મારાં માતુશ્રીએ બાપુજીને કરી જેથી તેઓએ મારાં માતુશ્રી દેવમાને કહ્યું: ‘કામ કરવા માટે માણસ રાખી લેતાં હા તો ? ” પૂ. દેવમા કહેઃ “ઘરનું કામ કરવામાં ખટ- ખાંપણ નહી'. ગામના નગરશેઠનાં ઘરમાં પણ કરે અને આપણે પણ કરીએ.’ મારાં માતુશ્રીને સમાધાનકારક જવાબ મળી ગયે. - મારાં પૂ. માતુશ્રી સરળ, વિનયવાન અને સેવાભાવી હતાં. વડીલોની આજ્ઞાનુસાર વર્તતાં. તેમની છબી ઉપલબ્ધ નથી. તે વખતમાં છબી પડાવવાનો રિવાજ નહોતા. મારાં પૂ. માતુશ્રીના દેહ છૂટયા પછી પૂ. દેવમાં ખંભાત ગયાં હતાં. ત્યાં પૂ. બાપુભાઈ એ એમના ફોટા પાડી લીધેલ, જે તેમની પાસેથી મળેલ છે.