________________
૧૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwww
વવાણિયામાં શ્રી રાજજન્મભુવન”માં આ પ્રસંગની એક મોટી છબી છે. તેમાં કલાકારે આ ભાવે સુંદર રીતથી આલેખ્યા છે.
પૂ. દેવમા કહેતા હતા કે પ્રભુ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. પ્રભુ શાક સમારતા જાય અને અશ્રુધારા વહેતી જાય. પૂ. દેવમાએ આ જોયું. તે કહેવા લાગ્યાં : “ આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે ? ” પ્રભુ શું કહે? તેમના અંતરમાં તો લીલોતરીના જીવન પર કરુણા વરસી રહી હતી. તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરવેદના કાણુ સમજે ?
વવાણિયામાં દાદા પંચાણભાઈ, પ્રભુની દસ વર્ષની ઉંમર હતી ત્યારે ગુજરી ગયા. પ્રભુને દેણી લઈને સ્મશાનમાં જવાનું થયું હતું. રસ્તામાં ચાલતાં બાવળની શૂળ વાગી, પણ તેને કોઈ ઉપાય કર્યો નહીં. આ વાત કહેતી વખતે મેટાં માતુશ્રી કહેતાં કે “ ત્યારે પણ તેમને દેહ પ્રત્યે મમતા નહોતી.”
મારા માતામહનું નામ મહેતા પોપટલાલ જગજીવન. મુંબઈમાં ઝવેરી રેવાશંકર જગજીવનના નામથી જે પેઢી ઓળખાતી તેમના તે ભાઈ થાય. બીજા પણ બે ભાઈઓ હતા જેમનાં નામ ડૉ. પ્રાણજીવનદાસ મહેતા અને ભાઈચંદ જગજીવન. પ્રભુનું સગપણ થયા પહેલાં સોળ વરસની વયે તેમનું મેરબી પધારવું થયેલું ત્યારે સંઘવી જનોના આગ્રહથી અવધાન કરવાનું ત્યાં થયેલું. તે અવધાનપ્રયાગો રેવાશંકરભાઈ એ જોયા. તેમને ઘણું" આશ્ચર્ય થયું. પ્રભુ પર સ્નેહ ઊભરાતાં તેમણે પોતાને ત્યાં પ્રભુને આમંત્રણ આપ્યું. ઘરમાં તેમના ભાઈ પોપટલાલનાં પુત્રી ચૌદ વર્ષનાં હતાં. નાસ્તાપાણીની સરભરા તેમણે કરી હતી. તેમને જોઈ પરમકૃપાળુ દેવશ્રીએ રેવાશંકરભાઈને પૂછયું : “ આ પોપટલાલભાઈનાં પુત્રી છે? એનું નામ ઝબક છે?” ત્યાર પછી પોપટલાલભાઈ વગેરેને યોગ્ય લાગતાં તેમણે ઝબકબાનું સગપણ પ્રભુ સાથે કર્યું. પ્રભુએ કહ્યું છે : ‘ કર્મગતિ વિચિત્ર છે.’ વિશેષમાં જણાવ્યું છેઃ “અહોહો! કમની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે ? જેને સ્વપ્ન