________________
સ્વ. ૫. મનસુખલાલભાઈ (શ્રીમદના નાના ભાઈ)
મારા કાકા મારા પૂ. પિતાજી કરતાં નવ વર્ષ નાના હતા. એક વાર અને ભાઈ એ સાંજના બહારથી ફરીને ઘરે આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી ને ડેલી બંધ હતી. તે ખખડાવી એટલે અદા ખોલવા માટે આવ્યા, ત્યારે મારા બાપુજીએ બહારથી બૂમ મારી ને કહ્યું કે, “કાકા, આઘા રહા, અદર સર્પ છે.” રવજી અદા ડેલી થી આઘા ખસી ગયા ને જોયું તો ખરેખર ત્યાં સર્પ હતો. પૂ. દેવમાએ મને આ વાત કરી હતી. બંને ભાઈ ઓ વચ્ચે ઘણા જ મેળ હતા. લેકે કહેતા કે રામ અને લક્ષ્મણ ની જોડી છે.
વવાણિયામાં અમીચંદભાઈ નામે ગૃહસ્થ હતા. તેમના ગુજરી જવાના ખબર પ્રભુને પડયા એટલે પોતે વિચારમાં પડી ગયા કે મરી જવું' એટલે શું ? એ વખતે પ્રભુની ઉંમર સાત જ વર્ષની. દાદા પંચાણભાઈને તેમણે પૂછયું : “ ગુજરી જવું' એટલે શું ? ” દાદાએ સમજાવ્યું કે ‘એમાંથી જીવ નીકળી ગયા, હવે એ બાલશે-ચાલશે નહી અને તેને તળાવ પાસે મસાણમાં બાળી નાખશે. જા, રાંઢા કરી લે. તું બાળક એમાં ન સમજે.” પ્રભુ રે ઢો કરવા બેઠા પણ મગજમાં તેની તે જ વાત ઘૂમ્યા કરતી હતી. જલદી રેઢા પતાવી બહાર નીકળી ગયા અને કેાઈ ન દેખે તેમ તેઓ તળાવ પાસે પહોંચી ગયા. જ્યાંથી અમીચંદભાઈનો મૃતદેહ દેખાય તેવા બે શાખાવાળા બાવળ પર પાતે ચડી ત્યાં ઊભા રહીને જ્યાં અમીચંદભાઈનું શબ બળતું હતું તે જોયું ને જોતાંવેત અંતરમાં મંથન શરૂ થઈ ગયુ’: આવા એક માણસને બાળી દેવા તે કેટલી નિર્દયતા ! આમ વિચારમાં અને વિચારમાં આવરણ ખસી ગયું', ભાન પ્રગટયું', અને જાતિસ્મરણ જ્ઞાન થયું.