________________
૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWW
wwww⌁n⌁me
માનતા રાખી. ત્યાર બાદ પુત્રનેા જન્મ થયા. તેથી તેમનું નામ રવજીભાઈ પાડયુ.. ઉંમરલાયક થતાં માળિયામાં રાઘવજી શાહની દીકરી શ્રી. દેવમાઈ સાથે શ્રી. રવજીભાઈનાં લગ્ન થયાં. દેવબાઈ સ્વભાવે સરળ દેવી સમાન હતાં. તેમનાં પૂ. સાસુજી ભાણખાઈ ને તથા સસરાજી પૂ. પંચાણભાઈ ને આંખની તકલીફ હોવાથી પૂ. દેવમા તેમની સુશ્રૂષા અને ઘરનું કામકાજ ખૂબ ઊલટથી કરતાં. વહુની આવી એકનિષ્ઠ સેવાચાકરીથી તે બહુ પ્રસન્ન રહેતાં. પૂ. દેવમાને ત્યારે ખાળક નહેાતુ. એક વાર સાસુએ આશિષ આપી કે ઃ વહુ બેટા ! ફૂલની જેમ ફૂલો !'
:
અત્રેની રામમદિરની જગ્યામાં ત્યારે પૂ. રામખાઈમા આવી રહ્યાં હતાં. પૂ. રામબાઈમા પવિત્ર ખળબ્રહ્મચારિણી હતાં. ઘણાં દયાળુ હોઈ તેમણે અનાથ અને સાધુસંતાની સેવાનું વ્રત આદર્યું હતું. તેમની જગ્યા સૌ અભ્યાગતાને માટે સદા ખુલ્લી હતી. તેમનુ ચરિત્ર વિસ્તારથી ‘રામબાઈમા' નામના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલું છે. રામબાઈમાની પાસે દેવમાનુ પ્રસ ગેાપાત્ત જવાનું થતુ.
રામબાઈમાનાં લગ્ન નાની ઉમરમાં થયાં હતાં. સાસરિયાં તેમને આણુ તેડવા આવેલા ત્યારે દુકાળને કારણે ભૂખ્યાં બાળકાનાં ટાળેટાળાં તેમને ગામ વાંટાવદર આવ્યાં હતાં. લેાકેા નિયપણે તેમને મારીમારીને હાંકી કાઢતા હતા. આ જોઈ પૂ. રામબાઈમાને અત્યંત દયાભાવ સ્ફુર્યા. સૌ બાળકાને પેાતાને શરણે લીધાં ને સાસરે ન ગયાં. અનાથ ખાળકાને લઈ પિયેર ઘેાડી ચાલી નીકળ્યાં અને વવાણિયા આવી, આજે જ્યાં રામમદિર છે ત્યાં આવીને રહ્યાં અને પેાતાનું સમગ્ર જીવન અનાથ, દીનદુઃખિયા અભ્યાગતાની સેવામાં તેમ જ પ્રભુભક્તિમાં ગાળ્યુ. સૌને તેમનાથી શાંતિ મળતી. પૂ. દેવમાને પણ તેએ એક ઉત્તમ વિસામે હતાં. તેમણે પૂ. દેવમાને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે એમ કહ્યું હતુ' અને એ ભવિષ્યવાણી ખરી પડી.
મારા પિતામહ ( રવજી અદા ) સ્થાનકવાસી જૈન હતા. તેમનામાં ગરીબે પ્રત્યે બહુ દયાભાવ હતા. ગરીબેને અનાજ, કપડાં વગેરે આપતા. સાધુસ'ત, ફૅકીર પર પણ તેમને બહુ આસ્થા