________________
પૂજ્ય જવલબાનાં
સંસ્મરણો
પ્રભુ રાજચંદ્રની કુળપરંપરા અને જીવન વિષે જાણવાની સૌની ઇચ્છાથી પૂ. શ્રી. જવલખાએ તેમનાં પૂ. દાદીમા અને વડીલો પાસેથી સાંભળેલી અને પ્રત્યક્ષ જોયેલી હકીક્તો નીચે પ્રમાણે જણાવી છે :
સૌરાષ્ટ્રમાં આવેલુ વવાણિયા બંદર, પૂર્વે તેની જાહોજલાલી અને વેપાર-રોજગાર માટે સુવિખ્યાત હતું. વસ્તી અને વસ્તુ અને દષ્ટિએ એ આજે છે તેના કરતાં અનેકગણું સમૃદ્ધ હતું. સમયનાં વહેણ સાથે આજે આ સ્થળ પૂવ જેવું રહ્યું નથી. પણ એ મહાપુરુષને જન્મ આ નાનકડા ગેકુળિયા જેવા ગામમાં હાઈ ને આજે એ પવિત્ર તીર્થધામ બન્યું છે. - આ મહાપુરુષનો જન્મ શા. દામજી પીતાંબરના કુટુંબમાં થયા હતા. એમના પિતામહનું નામ પચાણભાઈ હતું. તેઓ મારી પાસે આવેલા માણેકવાડા ગામના મૂળ રહીશ હતો. તેઓ પાંચ ભાઈઓ હતા. તેમની સંપત્તિ એટલી વિપુલ હતી કે તેના ભાગ ગણતરીએ નહી" પાડતાં તાંસળીઓ પાડયા હતા. પંચાણભાઈને દીકરા નહીં હોવાથી તેમને ઓછો ભાગ આપ્યા તેથી માઠું લાગતાં પોતાનું વતન છોડી તેઓ વવાણિયા આવીને રહ્યા* અને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. રવીચી માતાની તેમણે e *સંવત ૧૮૯૨માં વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું અને એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. (શ્રીમદ્ રાજચંદ્ર જીવન સાધના’ પાનું ૨.).