________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩૯
www
સેવકને લખસે એવી આસા છે....આપના સેવક ઉપર કુરપા કરો જેમ પુરવે સારી ગતી મળે તેમ કરસા ને આપને વસેામાં કેટલા દીવસનું રહેવાનુ છે ને વસેા થઈ કીએ ગામ પધારવાનું છે, તે વીગતવાર લખસેા ને આપનેા કાગલ આવેથી અમેા કાગલ લખસુ ને ચી. ભાઈ છગન ખુશી મજામાં છે. તેમને પગે સારી રીતે આરામ છે. તેની કસી ફીકર ચીંતા રાખસા નહી. ને ભાઈ અંબાલાલ લાલચંદભાઈ ને મારા પ્રણામ કેસે, ને ભાઈ અખાલાલભાઈના દરસન કરવાની ચાહીના છે, પણ આપણે ભેગા થીએલ નથી. ને મારા સરખુ કામકાજ લખશેા. એ જ ૪ઃ આપના સેવક રાઈચદ મનજીના પ્રણામ વાંચો, ભાઈ રાઈચંદભાઈ કાગલની આળસ રાખસા નહી. ચી. ભાઈ છગનની ફીકર ચીંતા રાખસા નહીં સ. ૧૯૫૫ના ભાદરવા સુદ ૧૪ ને મ’ગરવારની રાત્રે લખેા છે.
*
✩
* તે વખતની ભાષાના પરિચય થાય તેથી આ પત્રમાં મૂળની જોડણી રાખી છે; પણ હૃદયની ભાષામાં મૂળની જોડણી રાખવાથી ખરી વાસ્તવિકતા વ્યક્ત થશે એ મુખ્ય કારણ છે.—સ